SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ જ ઉપડાવીને બહાર મૂકી આવી. કહેવત છે કે જાગતાને પાડી, ને ઊંઘતાને પાડો, જ્યારે જાગ્રત થયો ત્યારે જોયું તો ન મળે ઘર, ન મળે વેશ્યા કે ન મળે સર્વ વૈભવ. એટલે અત્યંત દુ:ખવિષાદમાં નિમગ્ન થઈ ચિંતવવા લાગ્યો-હા ! વેશ્યાએ મને ત્યજી દીધો-કાઢી મૂક્યો ! દ્રવ્ય હતું ત્યાં સુધી એ મારા ભાડુતી નોકર ચાકર જેવી હતી-હવે દ્રવ્ય ગયું એટલે એ પાપી મારો શત્રુ બની ! આપણી પાસે દ્રવ્ય હોય છે તો જ એઓ આપણને સંઘરે છે ! મારાં માતપિતા હયાત હતાં ત્યાંસુધી તો દ્રવ્ય મળ્યા કરતું હતું. પણ હવે મારાં એ ગુરુજન મૃત્યુ પામ્યાં અને કુળનો ક્ષય થવા બેઠો ! હવે હું પણ નિરાધાર થયો ! દ્રવ્ય આપે છે એની પર મન રાખે છે, એની સાથે મધુર શબ્દોથી વાત કરે છે અને એને પોતાનું શરીર પણ સોંપે છે. એવી આ વેશ્યાઓ ખરેખર દુષ્કર કાર્ય કરનારી છે. “હરિદ્રાના રાગ જેવા અલ્પકાળિક, દારિદ્રય બક્ષનારા અને ફક્ત જીહામાત્ર જ-એવા વેશ્યાના રાગને મારા નમસ્કાર હો ! જો કાજળમાં શ્વેતતા હોય, લીમડામાં મધુરતા હોય, લસણમાં સુગંધ હોય, વિષમાં અમૃતગુણ હોય, યમરાજામાં કરૂણા હોય, અગ્નિમાં શીતળતા હોય, અને ખળ પુરુષમાં ઉપકારબુદ્ધિ હોય તો જ આ વેશ્યાઓમાં પ્રેમ હોય. એમને વિષે પ્રેમની સંભાવના કરવી એ શશશૃંગવત દુર્ઘટ ઘટના છે. આ મારા જેવા કે મૂર્ખ જનો એમને ત્યાં દ્રવ્ય ફેંકી આવે છે, એમણે તો ગંધર્વનગરમાં ઘર કરીને રહેવું જોઈએ-પછી ભલે ત્યાં સ્વપ્નોપાર્જિત દ્રવ્યની થેલીઓને થેલીઓ ઊડાવે ! વળી આ વેશ્યાજાતિ ખરેખર વિધુત, જળના પરપોટા અને તરંગ તથા વાયુના વેગ અને ચિત્ત કરતાં પણ ચંચળ છે. જે સ્થિતિ ધૂતને લીધે નળરાજાની થઈ હતી અને મધને લીધે કૃષ્ણવાસુદેવની થઈ હતી તે જ સ્થિતિ વેશ્યાને લીધે ક્ષણવારમાં કામી જનોનાં ગ્રહની થાય છે. ધર્મજ્ઞ જીવ જેમ સંસારને, અને વિરક્ત જન જેમ કામિનીને, તેમ આ વેશ્યાજન પણ નિર્ધનોને તૃણ સમાન ગણે છે. જેમ કુસ્વામીની સેવાથી સેવક જનોનો, ૧. હરિદ્રા-હળદરનો રંગ બહુ અલ્પ વખત ટકે છે. ૨. સસલાને શીંગડા હોવાની વાત. ૩. આકાશને વિષે કલ્પલું નગર. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૬૧
SR No.022729
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy