SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણિકકુમાર આ પ્રમાણે ચિત્તવન કરતો હતો એવામાં, સિદ્ધાંતનો પાઠ કરતા સાધુને પોણી પોરિસી થાય તેમ લગ્નવેળા થઈ. એટલે જકાત લેનારો અધિકારી જેમ વ્યાપારીનો કર (જકાત) લે તેમ શ્રેણિક કુમારે હર્ષ સહિત નન્દાનો કર ગ્રહણ કર્યો. વેદિકાની પાસે આવીને એ પતિપત્નીએ, માગશર માસની પ્રથમ તિથિએ રોહિણીને શશી જેમ મેરૂપર્વતની પ્રદક્ષિણા કરે તેમ, અગ્નિની પ્રદક્ષિણા કરી. કરમોચનને વખતે શ્રેષ્ઠીએ અશ્વાદિકનું દાન કર્યું કારણ કે ઉદાર પુરુષોનું નિત્ય આવું જ આચરણ હોય છે. આ હસ્તમેળાપ પુષ્કળ દ્રવ્યના વ્યયને લીધે બહુ જ પ્રશંસાપાત્ર થયો કારણ કે ઘણો કસુંબો નાખવાથી વસ્ત્રને વિષે પણ રાગ (રંગ) થાય છે. આ વખતે શ્રેણિકને વિચાર થયો કે - મારા પિતાએ કરેલું મારું અપમાન પણ મારા ઉદયને અર્થે થયું : મસ્તક પર ફોલ્લો તો થયો પણ એથી ચક્ષને શીતલતા મળી. અહો ! પૂજ્યવર્ગે કરેલું અપમાન સારું, પણ નીચ જનોએ કરેલો સતકાર સારો નથી; આરોગ્યથી થતી કૃશતા સારી, પણ વાયુથી ઉત્પન્ન થતું પીનત્વ સારું નથી. શ્રેણિક સંબંધી આ સર્વ વૃત્તાન્ત એના પિતા પ્રસેનજિત રાજાએ જામ્યો કારણ કે અન્ય લોકો તો પોતાનાં જ નેત્રથી જુએ છે પરંતુ રાજાઓ તો પારકાં નેત્રથી (ચરપુરુષોથી) પણ જુએ છે. હવે શ્રેણિકકુમાર નન્દાની સાથે ઉત્તમ ભોગ ભોગવતો દોગÇક જાતિના દેવોની પેઠે કાળ નિર્ગમન કરે છે એવામાં એકદા સુખમાં નિદ્રાવશ થયેલી નન્દાની કુક્ષિને વિષે, પદ્મિનીને વિષે કલહંસની જેમ, કોઈ પુણ્યનિધિ જીવ અવતર્યો. એટલે શય્યાને વિષે સૂતેલી એવી તેણીએ (નિદ્રામાંજ) ને જીતીને યશના પિડ પ્રાપ્ત કર્યા હોય નહીં એવા ચાર ઉદાર દનૂશળને ધારણ કરતો; ગર્ભનું અતિ સૂક્ષ્મદર્શીપણું જણાવતો હોય નહીં એમ લોકોને અભયદાનને અર્થે જેણે પોતાની શુંઢ ઊંચી રાખી ૧. સાધુની અમુક ક્રિયાને પોરિટી કહે છે. ૨. નિરન્તર ભોગવિલાસની લાલસાવાળા દેવો. ૩. કમળ પુષ્પોથી ભરેલી તળાવડી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો) ૨૩
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy