SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ વાળી જવું કહેતા. (વાળી જનાર રાજા બળવાન ગણાતો, અને સામાવાળો એમાં પોતાનું અપમાન-અપકીર્તિ થઈ સમજતો. ગાયો જેવા નિર્દોષ અને વળી પવિત્ર પ્રાણીને માટે રાજાઓ પોતાનું શીર પણ આપવા તૈયાર થતા). ૧૨૫-૨૨. રસકૂપિકાનો પ્રયોગ. અહિં “રસકૂપિકાને વિષે પ્રવેશ’ એમ જોઈએ. રસકૂપિકા જેના સ્પર્શથી લોહ આદિ હલકી ધાતુઓ સુવર્ણ' થઈ જતી કહેવાય છે એવા રસની કુઈ. ૧૨૫-૨૨. રોહણાચળની ભૂમિનું ખોદવું. રોહણગિરિ નામનો પર્વત છે એમાંથી રત્નો મળી આવે છે. ૧૨૫-૨૨. નિમિત્ત-આદેશ. કોઈનું શુભ થવાનું છે કે અશુભ થવાનું છે એ પોતાના જ્ઞાનબળથી કહેવું. (નિમિત્તિકએવું જ્ઞાન ધરાવનાર.) ૧૨૫-૪. ઋદ્ધિવાન પુરૂષ ગામથકી નગરમાં...વગેરે. (ગામડામાં) માણસ પાસે પૈસો થાય એટલે ગામડું મૂકી શહેરમાં રહેવા આવે છે એમ. ૧૨૫-મનુષ્ય ભવનાં દુ:ખ. બુદ્ધદેવ પણ સંસારમાં સર્વત્ર કલેશ. જ જુએ છે - “Birth is sorrow, old age is sorrow, disease is sorrow, union with one whom we do not love is sorrow, separation from one whom we do love is sorrow; in short, our five bouds with the things of the earth are sorrow." ૧૨૬-૨૧. તલથકી શ્યામ મરી...વગેરે. તલ પણ કાળા અને મરી પણ કાળા. કહેવાનો ભાવાર્થ એવો છે કે સર્વત્ર સરખું જ છે, સ્વર્ગમાંએ એકાન્ત સુખ નથી. આપણામાં અત્યારે કહેવત છે કે “કોણ કાળું ને કોણ ગોરું ?' ૧૨૭-૨. અત્યદશા. કનિષ્ટ દશા. ૧૨૭–૩. અહિં. આ પૃથ્વી પર. ૧૨૭–૧૦. માળાની ગ્લાનિ...ઈત્યાદિ. માળા કરમાઈ જાય છે...વગેરે ગણાવ્યાં એ સ્વર્ગના દેવોને ચ્યવન એટલે મૃત્યુ સમયના ચિન્હો છે. ૨૭૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy