SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ એ પરથી કુમારે પૂછ્યું : ચતુરાઈ શામાં વસે ? ક્યાં જન્મોત્સવ થાય અરિહંત-પરમેશનો સુર-સુરઇન્દ્ર મિલાય ? અતિ પ્રજ્ઞા કયા મનુષ્યમાં ? ક્યાં કસ્તુરી થાય ? તતશીલ-ભાવના અર્થમાં પ્રત્યયદ્વય કયા સ્કાય ? કહો પંખીડાં ક્યાં વસે ? કયાં જળ છે દુર્લભ ? સ્ત્રીનો કેવા નર વિષે રમે સદા નિજ અપ્પ ? ૩ આ સમસ્યા સ્ત્રીઓએ બહુ બહુ વિચારી જોઈ પરંતુ એમનાથી સમજાઈ નહીં. એટલે એઓ બોલી-અહો ! આર્યપુત્રે અમારી દુર્લક્ષ્ય એવી પણ સમસ્યા ક્ષણમાત્રમાં પૂરી; પરંતુ અમો સર્વે એકત્ર મળીને પણ આપની સમસ્યા સમજી શકતી નથી. અથવા તો પુષ્કળ નદીઓ એકઠી મળવાથી કંઈ સાગર બનતો નથી; ઘણી દીવી હોય તોપણ તે સૂર્યના પ્રકાશની બરાબર થતી નથી. આમ બોલતી બોલતી એઓએ કુમારને કહ્યું-આર્યપુત્ર ! હવે આપના પ્રશ્નનો ઉત્તર આપ જ આપો. કુમારે મંદ હાસ્ય કરીને ઉત્તર આપ્યો : કામેગુરુરૂતમચારી. (૧) કારી.” કારૂ એ સંસ્કૃત શબ્દનો અર્થ શિલ્પશાસ્ત્ર થાય છે. કારી એટલે એવા શિલ્પ-હુન્નર કળાને વિષે જ વિજ્ઞાન છે. (૨) મેરૌ=મેરૂ પર્વત ઉપર-ભગવાનનો જન્મોત્સવ થાય છે. (૩) અતિપ્રજ્ઞા “ગુરી' એટલે ગુરુને વિષે હોય છે. (૪) કસ્તુરી “રૂરી' એટલે રૂરૂ-મૃગને વિષે-મૃગની નાભિમાં થાય છે. (૫) સંસ્કૃત વ્યાકરણમાં રૂ પ્રત્યયો તાશીલ્ય અર્થમાં વપરાય છે. (૬) પક્ષીઓ “તરી' એટલે તરૂ પરવૃક્ષ પર રહે છે. (૭) “મરી” એટલે મરૂ ભૂમિને વિષે (મારવાડ દેશમાં) અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો) ૧૧૩
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy