SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારથી વિમુખ થઇ પોતાના પુત્ર શ્રીપાળને તેણે રાજ્ય ઉપર બેસાડ્યો અને પોતાના ભાઇ દેવપાળના પુત્ર વનપાળને ધાન્યથી ભરપૂર, જળદુર્ગવાળો સિંધુદેશ આપ્યો. આ પ્રમાણે મહીપાલ રાજા વિવેકપૂર્વક સર્વ કાર્યથી નિવૃત્ત થઇ, પોતાની સ્ત્રી સહિત શ્રી શત્રુંજય ગિરિરાજ પર આવી, શ્રી કીર્તિમહર્ષિ પાસે વ્રત ગ્રહણ કરી, તેમની કૃપાથી નિર્મલ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, આયુષ્યનો ક્ષય થતાં તે જ ભવમાં મુક્તિ પામ્યા. હે ઇન્દ્ર ! તેના વંશમાં શુદ્ધ ચિત્તવાળા આ રિપુમલ્લ રાજા થયા છે. પવિત્ર એવા આ રાજા આ રૈવતાચલની ભક્તિ કરે છે. તેથી તે ત્રણ ભવ કરી મુક્તિ લક્ષ્મીને પામશે ! હે સુરરાજ ! સ્મરણ કરવાથી પણ સર્વ ઇચ્છિત ફળને આપનારું એવું આ શાશ્વત અને આદિ તીર્થ જય પામે છે. આ તીર્થના મહિમાને સઘળાં રહસ્યો જાણનારા જ્ઞાનીઓ પણ કહી શકવા સમર્થ થતા નથી. *** શ્રી ઋષભદેવ ભગવાનના ૧૩ ભવો • પ્રથમ ભવ ........... : ધન સાર્થવાહ • બીજો ભવ............... યુગલિક પુરુષ ત્રીજો ભવ.............: સૌધર્મ દેવલોકમાં દેવ ચોથો ભાવ ............ : • પાંચમો ભવ .........: મહાબલ રાજા લલિતાંગ દેવ વજંઘકુમાર યુગલિક પુરૂષ • આઠમો ભવ......... . સૌધર્મ દેવલોકમાં દેવ • નવમો ભવ ...........: જીવાનંદ વૈદ્ય • દસમો ભાવ ........... અચ્યુત દેવલોકમાં સામાનિક દેવ • અગિયારમો ભવ ... : વજ્રનાભ ચક્રવર્તી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ ઋષભદેવ તીર્થંકર • છટ્ટો ભાવ ............: • સાતમો ભવ ......... • બારમો ભવ .........: • તેરમો ભવ........... શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૬
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy