SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમે પ્રથમ તીર્થંકર પાનાથ પ્રભુના તીર્થમાં પૂર્વની જેમ તે તીર્થનો ઉદ્ધાર થશે. ઋષભદેવના સ્થાને પ્રભુની મૂર્તિ બિરાજમાન થશે. આ રાજાદની (રાયણ)નું વૃક્ષ પણ થશે. આ પ્રમાણે સકલ તીથમાં શિરોમણી ગિરિરાજ જિનેશ્વર ભગવંતની જેમ ઉદય પામી કીર્તનથી, દર્શનથી અને સ્પર્શથી ભવ્યજીવોને સદા તારનાર રહેશે. પાપનો ભાર દૂર કરનાર અતિશય પવિત્ર અને અત્યંત કલ્યાણકર, પર્વતોમાં ઇન્દ્ર સમાન આ પુંડરીક ગિરિરાજ સદા જય પામે છે. એક ક્ષણવાર પણ જે ગિરિરાજની છાયામાં રહીને જે દૂર જાય છે. તે ત્યાં પણ શત્રુંજયને નહીં પ્રાપ્ત કરનારા લોકોમાં પુણ્યથી સેવવા યોગ્ય છે. કારણ કે તેણે ગિરિરાજના દર્શન કર્યા છે. સ્પર્શ કર્યો છે. એ ગિરિરાજનાં શિખરો, ગુફાઓ, તલાવો, વનો, જળો, કુંડો, સરિતાઓ, પાષાણો, કૃતિકાઓ અને બીજું જે કાંઈ ત્યાં રહેલું છે તે અચેતન છતાં પણ નિબિડ પાપનો ક્ષય કરે છે. પ્રભુ શ્રી મહાવીરદેવ ઇન્દ્રને કહે છે, “આ પ્રમાણે આ ગિરિરાજનું અમાપ માહાત્મ યુક્ત ચરિત્ર સહજ માત્ર સંક્ષેપથી મેં કહ્યું છે. કદી મુખમાં ઘણી જિલ્લાઓ હોય તો પણ તેનું સંપૂર્ણ માહાભ્ય કહી શકાય એમ નથી. વધારે વચનનો વિલાસ કરી પ્રયાસ કરવાની કોઈ જરૂર નથી. સંક્ષેપમાં એટલું જ કહેવાનું છે કે જો થોડો પણ પાપનો ભય હોય તો બીજું સર્વ ત્યજી દઈને શ્રી આદિનાથ પ્રભુથી અધિષ્ઠિત પુંડરીકગિરિરાજનું હંમેશાં આરાધન કરો. | ઉપસંહાર : ભગવાનનો શત્રુંજય તીર્થ ઉપરથી વિહાર આવી રીતે શ્રી વીરપ્રભુ ભવ્યજીવોને બોધ આપીને વિરામ પામ્યા પછી શ્રી મહાવીર પ્રભુ વિમલગિરિ પરના શિખર પરથી ઉતર્યા. એટલે દેવતાઓ અને મનુષ્યો પણ તીર્થને નમસ્કાર કરીને પોતપોતાનાં સ્થાને ગયાં. તારે તે તીર્થ કહીએ ! હિલ સ્ટેશનો ડુબાડનારા છે, જ્યારે તીર્થસ્થાનો તારનારા છે. આડા અવળા રસ્તે બંધાયેલા પાપ કર્મો તીર્થયાત્રાથી ખપી જાય છે, આત્મા હળવો બને છે. સિદ્ધાચલજી તીર્થના જેટલા ગુણ ગાઇએ તેટલા ઓછા છે. ઘોરાતિઘોર પાપાત્માઓ પણ આ તીર્થના સ્પર્શે પતિતપાવન થયા છે. આ તીર્થના એક-એક કાંકરે અનંતાનંત આત્માઓ મુક્તિ પદને પામ્યા છે. શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૩૧
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy