SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ કહેવાથી શું? તું ધન્ય છે, કૃતકૃત્ય છે, જે મારી દષ્ટિગોચરને સત્નનો પુંજ એવો તું હે વત્સ! સ્વતઃ જ આવ્યો છે. ll૪૬૭ll શ્લોક : मयोक्तमम्ब! यद्येवं, ततो मे चारु वेधसा । इदं संपादितं हन्त, मीलितोऽहं यदम्बया ।।४६८।। શ્લોકાર્ચ - મારા વડે કહેવાયું, હે અંબા ! જો આ પ્રમાણે છે=આ નગરમાં તને પ્રાપ્ત કરીને હું ધન્ય થયો છું એ પ્રમાણે છે, તો વેધ વડે ભાગ્ય વડે, ખરેખર મારું આ સુંદર સંપાદિત કરાયું, જે કારણથી હું માતાની સાથે મળ્યો. ll૪૬૮ શ્લોક - अधुना दर्शयत्वम्बा, प्रसादेन विशेषतः । ममेदं बत निःशेषं, भवचक्रं महापुरम् ।।४६९।। શ્લોકાર્ધ : હે અંબા ! હવે કૃપા કરીને મને આ આખું ભવચક્ર નામનું મહાપુર બતાવો. ૪૬૯ll. શ્લોક :__ ततः सा बाढमित्युक्त्वा, तात! मार्गानुसारिता । समस्तं भवचक्रं मे, सवृत्तान्तमदर्शयत् ।।४७०।। શ્લોકાર્ચ - ત્યારપછી સારું એ પ્રમાણે કહીને હે તાત બુધ ! તે માર્ગાનુસારિતાએ મને સવૃતાંત સમસ્ત ભવચક્ર બતાવ્યું. ll૪૭૦|| ભાવાર્થ : પૂર્વમાં ભુજંગતાએ બુધ અને મંદ પાસે પોતાનો પૂર્વનો પરિચય બતાવ્યો, તે સાંભળીને બુધ મૌન લે છે અને વિચારે છે કે આ ઘાણ શઠ છે અને બુધે પોતે ગુફા વગેરે જોઈ, તે શું છે ? તેનો નિપુણતાપૂર્વક વિચાર કરે છે. મારું શરીરરૂપ ક્ષેત્ર છે. તે પર્વત છે. મારી આ નાસિકા છે તે મહાગુફા છે અને આ નાસિકામાં ધ્રાણેન્દ્રિય રહેલી છે. તેથી મારે એનું પાલન કરવું જોઈએ એમાં સંશય નથી. પરંતુ જે ભુજંગતા–ધ્રાણેન્દ્રિયમાં આસક્તિરૂપ પરિણતિ કહે છે તે મારે કરવું જોઈએ નહીં, પરંતુ જ્યાં સુધી આ શરીરરૂપ ક્ષેત્રને મૂકું નહીં ત્યાં સુધી આ મતિજ્ઞાનના ઉપયોગરૂપ ધ્રાણનું વિશુદ્ધ માર્ગથી પાલન કરવું જોઈએ અર્થાતુ ધ્રાણેન્દ્રિય મળી છે. તેથી તે તે ઇન્દ્રિયોથી જે બોધ થાય તેનો યથાર્થ બોધ કરવો જોઈએ પરંતુ ધ્રાણેન્દ્રિય જે જે માંગણી કરે
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy