SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વળી શોકથી ક્લિષ્ટ કર્મો બાંધીને દુઃખની પરંપરા કરવી જોઈએ નહીં. આથી જ વિવેકી પુરુષો સ્વજનાદિ કોઈના મૃત્યુ આદિમાં શોક કરતા નથી પરંતુ સંસારનું વાસ્તવિક સ્વરૂપ અવલોકન કરીને પોતાનું મૃત્યુ ભાવિ અહિતનું કારણ ન બને તે પ્રકારે પરના મૃત્યુને જોઈને આત્માને અનુશાસન આપે છે. જ્યારે મૂઢ જીવો જ જેનું કોઈ ફળ નથી, કેવલ અનર્થ ફળ છે તેવો શોક કરીને પોતાના આત્માની વિડંબના કરે છે અને પોતાની સાથે પોતાનાં સ્વજનો આદિને તેવા શોકના ઉદ્વેગમાં નિમિત્ત બનીને તેઓના અહિતનું કારણ બને છે. શ્લોક : अन्यच्चात्रकियन्ति संविधानानि, शृङ्गग्राहिकया तव । નવા નિવેયિષ્યન્ત, નારે પરર્વાન? પાદુકા શ્લોકાર્થ : અને બીજું અહીં=ભવચક્રમાં, શૃંગગ્રાહીપણાથી=અંગુલીનિર્દેશપણાથી, તને=પ્રકર્ષને, મારા વડે=વિમર્શ વડે, પારવર્જિત નગરમાં જેનો પાર ન પામી શકાય તેવા પ્રસંગોથી યુક્ત નગરમાં, કેટલાં સંવિધાનો પ્રસંગો, નિવેદન કરાશે? અર્થાત્ સર્વ પ્રસંગોનું નિવેદન શક્ય નથી. II૬૭ll બ્લોક : इतश्चअस्य स्वरूपविज्ञाने, बलवत्ते कुतूहलम् । अतः समासतो वत्स! तुभ्यमेतनिवेदये ।।६८।। શ્લોકાર્ચ - અને આ બાજુ આના સ્વરૂપના વિજ્ઞાનમાં ભવચક્રના સ્વરૂપને જાણવામાં, તને=પ્રકર્ષને, બલવાન કુતૂહલ છે આથી હે વત્સ! સમાસથી તને=પ્રકર્ષને, આ=ભવચક્રનું સ્વરૂપ, હું નિવેદન કરું છું. II૬૮ll શ્લોક : आरूढः पर्वते तात! विवेकाऽऽख्येऽत्र निर्मले । ફર્વ વિ7ોયd, રૂપતિ: વિં નિવેદતા? પાદરા શ્લોકાર્ચ - હે તાત પ્રકર્ષ ! વિવેક નામના નિર્મલ એવા આ પર્વતમાં આરૂઢ થયેલો જીવ આ રીતે=પૂર્વમાં કહેવાયું છે એ રીતે, આને=ભવચક્રને, વિલોકન કરે છે. સ્વરૂપથી શું નિવેદન કરાય ? II૬૯ll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy