SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ अनादिस्नेहमोहेन, तं दृष्ट्वा मम मानसे । या प्रीतिरासीत्साऽऽख्यातुं वचनेन न पार्यते ।।२२।। શ્લોકાર્થ : અનાદિના સ્નેહના મોહથી=સંસારી જીવને અનાદિ માનકષાય સાથે જે સ્નેહ છે તેના વશથી, તેને જોઈને=શૈલરૂપ માનને જોઈને, મારા માનસમાં જે પ્રીતિ હતી, વચનથી પણ કહેવા માટે શક્ય નથી. IIરણા શ્લોક ઃ विलोकयन्तं मां वीक्ष्य, स्निग्धदृष्ट्या स दारकः । शठाऽऽत्मा चिन्तयत्येवं, लब्धलक्ष्यः स्वचेतसा ।। २३ ।। ૭ શ્લોકાર્થ ઃ સ્નિગ્ધ દૃષ્ટિથી જોતા એવા મને જોઈને તે દારક-શૈલરાજ નામનો માનકષાય શઠાત્મા લબ્ધલક્ષ્યવાળો સ્વચિત્તથી આ પ્રમાણે વિચારે છે=માનકષાયે જાણ્યું કે આ મારે વશ છે એ પ્રકારે વિચારીને શઠ એવો માનકષાય આ પ્રમાણે વિચારે છે. I૨૩II શ્લોક ઃ अये! मामेष राजेन्द्रतनयः स्निग्धचक्षुषा । विलोकयति तन्नूनं, ममाऽयं वर्तते वशे ।। २४ ।। શ્લોકાર્થ ઃ અરે ! આ રાજાનો પુત્ર સ્નિગ્ધચક્ષુથી મને જુએ છે તેથી ખરેખર આ વશ વર્તે છે=રિપુદારણ માનકષાયને વશ વર્તે છે. ।।૨૪।। શ્લોક ઃ ततो विस्फारिताऽक्षोऽसौ किलाहं स्नेहनिर्भरः । दर्शयन्निति मे देहं समालिङ्गति मायया ।।२५।। શ્લોકાર્થ ઃ તેથી વિકસ્વર ચક્ષુવાળો સ્નેહથી નિર્ભર મને દેહને બતાવતો=પોતાનું શરીર બતાવતો, આ માયાથી આલિંગન આપે છે. II૨૫ા
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy