SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : ततोऽपि बहिरङ्गेषु, पुरेषु किल वर्तते । किञ्चित्कारणमाश्रित्य, साऽधुना युक्तकारिणी ।।२७।। શ્લોકાર્થ : ત્યારપછી પણ ખરેખર કોઈક કારણને આશ્રયીને મુક્ત કરનારી તે હમણાં બહિરંગ નગરોમાં વર્તે છે. III શ્લોક : जातश्चासीत्तदा पुत्रस्तथाऽन्योऽप्यधुना किल । निजभर्तुः समायोगादेतदाकर्णितं मया ।।२८।। શ્લોકાર્ચ - ત્યારે પુત્ર હતો. અને હમણાં પોતાના ભર્તાના સમાયોગથી અન્ય પણ પુત્ર થયો છે એ મારા વડે સંભળાયું છે. ll૨૮ll શ્લોક - तदेवं नास्ति सा देवी, यत्पुनर्मम कारणम् । नगरागमने भद्र! तदाकर्णय साम्प्रतम् ।।२९।। શ્લોકાર્ચ - તે કારણથી આ પ્રમાણે તે દેવી નથી=આ નગરમાં નથી. હે ભદ્ર! વળી નગરના આગમનમાં જે મારું કારણ છે તે હવે સાંભળ. I[૨૯ll ભાવાર્થ : પૂર્વમાં કહેલું કે લોલુપતાએ વિચક્ષણને કહ્યું કે ભાગ્યના ઉદયથી તમને આ રસનારૂપી નારી મળી છે. તે કથન સામાન્યથી રસનાના લોલુપ જીવોને તેમજ દેખાય છે કે મારા ભાગ્યએ મને આ સુંદર સ્ત્રી આપી છે. પરંતુ વિચક્ષણ પુરુષ તે વખતે વિચારે છે કે આ ભાગ્ય તે કર્મ છે. અને કર્મથી મળેલી આ જીભરૂપી સ્ત્રી છે, પરંતુ લોલુપતા કહે છે એટલા માત્રથી તે જીવ માટે સુંદર છે તેમ સ્વીકારવું ઉચિત નથી. તેથી વિચક્ષણ તે સ્ત્રીનો નિર્ણય કરવા અર્થે પોતાનાં માતા-પિતા આદિની સલાહ લે છે. ત્યાં શુભોદય તેનું શુભ કર્મ છે. અર્થાત્ માર્ગાનુસારી બુદ્ધિ આપે તેવું નિર્મળ કર્મ છે. અને નિજચારુતા એ જીવની કર્મની લઘુતાને કારણે થયેલી નિર્મળ પરિણતિ છે. અને તેમની સલાહ પ્રમાણે વિચક્ષણ વિચારે છે કે મારે મારા મતિજ્ઞાનના ક્ષયોપશમરૂપ બુદ્ધિના બળથી આ વસ્તુનો વિચાર કરવો જોઈએ અને તે વિચાર માટે બુદ્ધિનો પ્રકર્ષ જ્યારે તત્ત્વને જોવા માટે પ્રવૃત્ત થાય છે ત્યારે તે પ્રશ્ન કરે છે અને જીવની તત્ત્વના વિષયક માર્ગાનુસારી વિમર્શ
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy