________________
૩૮૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ केवलं यतः प्रभृति हट्टमार्गमतिक्रम्य समानीतस्त्वया रथो राजकुलाभ्यर्णे, धारितस्तत्र कियन्तमपि क्षणं, तदारात्सर्वाणि मे विलीयन्तेऽङ्गानि प्रवर्धतेऽन्तस्तापः, ज्वलतीव भुवनं न सुखायन्ते जनोल्लापाः, आविर्भवति रणरणकः, समुद्भूतालीकचिन्ता, शून्यमिव हृदयम् । ततोऽहमस्य दुःखस्याsलब्धपरित्राणोपायः खल्वेवं स्थित इति । ततः सहर्षेण तेतलिनाभिहितं देव ! यद्येवं ततो विज्ञातं मयाऽस्य दुःखस्य निदानमौषधं च न विषादः कर्तव्यो देवेन, मयाऽभिहितं कथम् ? तेतलिः प्राहसमाकर्णयत! निदानं तावदस्य दुःखस्य चक्षुर्दोषः । मयोक्तं - कस्य सम्बन्धी ? तेतलिः प्राह-न जाने किमसौ लक्षिता न वा देवेन ? मया पुनर्बृहतीं वेलां निरूपिता तत्र राजकुलपर्यन्तवर्तिनि प्रासादे वातायने वर्तमाना काचिद् बृहद्दारिका देवमर्धतिरश्चीनेनेक्षणयुगलेन साभिनिवेशमङ्गप्रत्यङ्गतो निरूपयन्ती, तन्निश्चितमेतत्तस्या एव सम्बन्धी चक्षुर्दोषोऽयं, यतो देव ! अतिविषमा विषमशीलानां दृष्टिर्भवति । ततो मया चिन्तितं वष्टः खल्वेष तेतलिः, बुद्धोऽनेन मदीयभावः, विलोकिता सा चिरमनेन अतः पुण्यवानयं, यतश्च वदत्येष यथा लब्धं मया तवास्य दुःखस्य भेषजमिति ततः संपादयिष्यति नूनं तां मदनज्वरहरणमूलिकां कन्यकामेष मे, तस्मात्प्राणनाथो ममायं वर्तत इति विचिन्त्य समारोपितो बलात्पर्यङ्के तेतलिः । अभिहितश्च - साधु भोः साधु ! सुष्ठु विज्ञातं भवता मदीयरोगनिदानं,
તેતલિ વડે કરાયેલ પરિહાસ
અત્રાન્તરમાં તેતલી=સારથિ આવ્યો, મને અતિવલ્લભપણું હોવાથી કોઈનાથી વારણ કરાયું નહીં. મારી સમીપે આવ્યો. આના વડે પાદપતન કરાયું. ભૂમિતલમાં બેઠો. હાથ જોડીને એના વડે કહેવાયું= તેતલી વડે કહેવાયું, દેવ ! નીચજનને સુલભ એવા ચાપલ્યથી કંઈક દેવને હું વિજ્ઞાપન કરીશ તે સુંદર છે અથવા અસુંદર છે તે દેવે સહન કરવું જોઈએ. મારા વડે કહેવાયું – હે ભદ્ર તેતલી ! વિશ્વાસપૂર્વક તું બોલ, આ પ્રકારની કૂર્ચ શોભા વડે શું ?=આ પ્રકારે નિવેદન વડે શું ? તેતલી વડે કહેવાયું – જો આ પ્રમાણે છે–તમે મને કહેવાની અનુજ્ઞા આપી છે એ પ્રમાણે છે, તો હે દેવ ! પરિજનથી મારા વડે સંભળાયું છે. રથથી ઊતરીને જણાતું નથી અહીં શું કારણ છે. દેવ=નંદિવર્ધન, ઉદ્વેગવાળાની જેમ, નિષદ્ધિ કર્યો છે અશેષ પરિજન જેણે એવો, સચિંતાવાળો, શયનમાં=પથારીમાં લોટતો રહેલ છે=દેવ રહેલ છે, તેનું કારણ કંઈ ખબર પડતી નથી એમ પરિજનથી મારા વડે સંભળાયું એમ પૂર્વની સાથે યોજન છે. અને આ બાજુ રથના અશ્વોની તૃપ્તિને કરતાં અતીત દિવસશેષ મારા વડે પસાર કરાયો. ત્યારપછી રાત્રે મને ચિંતા થઈ, શું ચિંતા થઈ તે તેતલી ‘વદ્યુત’થી બતાવે છે – દેવના ઉદ્વેગનું કારણ શું હશે ? તેથી=આ પ્રકારે ચિંતા થઈ તેથી, તેને નહીં જાણતા દેવના ઉદ્વેગના કારણને નહીં જાણતા, ચિંતાથી વિધુર જાગતા જ મારી રાત્રિ પસાર થઈ. તેથી જ્યાં સુધી ઊઠીને ખરેખર અહીં આવું છું ત્યાં સુધી મોટું અન્ય પ્રયોજન આવીને પડ્યું. તેથી આટલી વેળાને પસાર કરીને હું આવ્યો