________________
૩૨૪
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
નંદિવર્ધનનું યૌવન અને આ બાજુ મારા વડે-નંદિવર્ધન વડે, સમસ્ત કલાગ્રહણ પૂરું કરાયું. ત્યારપછી પ્રશસ્તદિવસ જોવાયો. કલાશાલાથી પિતા વડે હું પોતાની પાસે લવાયો. કલાચાર્યની પૂજા કરાઈ=કલાચાર્યને પુષ્કળ દાન આપીને પૂજા કરી, મહાદાનો અપાયાં=નંદિવર્ધત ભણીને આવ્યો તે નિમિત્તે રાજાએ લોકોમાં મહાદાન આપ્યાં. મહોત્સવ કરાવાયો. હું પિતા વડે, માતા વડે, લોકો વડે વિશેષ સત્કાર કરાયો. જે પ્રમાણે આ=નંદિવર્ધન, સુખે રહે, એથી કરીને મને પૃથફ આવાસ અપાયો. પિતા વડે પરિજન વિયોગ કરાવાયો. મને ભોગપભોગ ઉપકરણો સમર્પણ કરાયાં. હું સુરકુમારની જેમ લાલત કરાતો રહ્યો. ત્યારપછી ત્રણે ભુવનને વિલોભન કરે એવા સાગરના અમૃતરસ જેવો, બધા લોકોના નયનને આનંદ ઉત્પન્ન કરનાર રાત્રિના ચંદ્રના ઉદય જેવો, બહુરાગના વિકારથી યુક્ત વર્ષાઋતુના મેઘધનુષ જેવો, મકરધ્વજના શસ્ત્રભૂત કલ્પવૃક્ષના કુસુમના પ્રસવ જેવો, અભિવ્યયમાન રાગરમણીય= બીજાને રાગ ઉત્પન્ન કરે એવો રમણીય, કમલવતના સૂર્યોદય જેવો, વિવિધ પ્રકારના આનંદવિલાસને યોગ્ય મોરના કલાની જેવો, મારા યૌવનનો આરંભ પ્રાદુર્ભાવ થયો. અતિ રમણીય શરીર થયું. વક્ષ:
સ્થલ વિસ્તીર્ણ થયું, ઉરુના દંડદ્વય પરિપૂરિત થયા. મધ્યદેશ તનુતાને પામ્યો. નિતમ્બભાગ વિસ્તારને પામ્યો. પ્રતાપવાળી રોમરાજિ વિકાસ પામી. બે ચક્ષુઓ વૈશવને પામી, ભુજયુગલ પ્રલમ્બાને પામ્યું. યૌવનના સહાયથી હું મકરધ્વજથી કામદેવથી, અધિષ્ઠિત થયો.
कनकशेखरागमनं मैत्री च इतश्च स्वभवनात्रिसन्ध्यं व्रजामि स्माहं राजकुले गुरूणां पादवन्दकः । ततोऽन्यदा गतः प्रभाते कृतं तातस्याम्बादीनां च पादपतनं, अभिनन्दितस्तैराशीर्वादेन, स्थितस्तत्समीपे कियन्तमपि क्षणं, समागतः स्वभवने, निविष्टो विष्टरे, यावदकाण्ड एवोल्लसितो राजकुले बहलः कलकलः । ततः किमेतदित्यलक्षिततन्निमित्ततया जातो मे संभ्रमः, प्रस्थितस्तदभिमुखं, यावत्तूर्णमागच्छन्नालोकितो मया धवलाभिधानः सबलो बलाधिकृतः, प्राप्तो मदन्तिकं, प्रणतोऽहमनेन । आह च-कुमार! देवः समादिशति, यदुत-इतो निर्गतमात्रस्य ते प्रविष्टो मत्समीपे दूतो, निवेदितं च तेन-यथा कुशावर्तपुरात् कनकचूडराजसूनुः कनकशेखरो नाम राजकुमारो जनकाऽपमानाभिमानाद् भवत्समीपमागतो गव्यूतमात्रवर्तिनि मलयनन्दने कानने तिष्ठति, एतदाकर्ण्य देवः प्रमाणमिति । ततोऽहं 'स्वगृहागततया प्रत्यासन्नबन्धुतया महापुरुषतया च प्रत्युद्गमनमर्हति कनकशेखरः कुमार' इति आस्थानस्थायिभ्यो राजवृन्देभ्यः प्रख्याप्य एष समुच्चलितः स्वयं तदभिमुखं, कुमारेणापि शीघ्रमागन्तव्यमित्यहं प्रहितो युष्मदाह्वानाय, तत्तूर्णं प्रस्थातुमर्हति कुमारः । ततो 'यदाज्ञापयति तात' इति ब्रुवाणश्चलितोऽहं सपरिकरो, मीलितस्तातबले, पृष्टो मया धवलः-कथमेष कनकशेखरोऽस्माकं बन्धुरिति । धवलेनाभिहितं यतो नन्दायाः कनकचडः सहोदरो भवति, तेन ते मातुलसूनुरेष भ्रातेति । प्राप्तास्तत्समीपं, कृतं