________________
૩૧૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
वर्जनीयश्च यत्नेन, पापमित्रैः समागमः ।
यतः स्पर्शनसम्पर्कात्, स बालो निधनं गतः ।।६५ ।। શ્લોકાર્ચ -
અને યત્નથી પાપમિત્રોની સાથે સમાગમ વર્જવો જોઈએ, જે કારણથી સ્પર્શનના સંપર્કથી તે બાલ મૃત્યુને પામ્યો. IIકપી. શ્લોક :
वर्जनेन पुनस्तस्य, मनीषी सुपरिस्फुटाम् ।
लोके शेखरतां प्राप्य, जातोऽयं मोक्षसाधकः ।।६६।। શ્લોકાર્ચ -
વળી, તેના વર્જનથી સ્પર્શનરૂપ પાપમિત્રના વર્જનથી, લોકમાં સુપરિક્રુટ શેખરતાને પામીને આ ઉત્તમપુરુષ છે એ પ્રકારની ખ્યાતિને પામીને, આ મનીષી મોક્ષસાધક થયો. II૬૬ll શ્લોક -
कल्याणमित्रः कर्त्तव्या, मैत्री पंसा हितैषिणा ।
इहामुत्र च विज्ञेया, सा हेतुः सर्वसम्पदाम् ।।६७।। શ્લોકાર્થ :
હિતૈષી એવા પુરુષે કલ્યાણમિત્રોની સાથે મૈત્રી કરવી જોઈએ અને આલોકમાં અને પરલોકમાં તે કલ્યાણમિત્રોની સાથે કરેલી મૈત્રી, સર્વસંપદાનો હેતુ છે. III શ્લોક :
दोषायेह कुसंसर्गः, सुसंसर्गो गुणावहः ।
एतच्च द्वयमप्यत्र, मध्यबुद्धौ प्रतिष्ठितम् ।।६८।। શ્લોકાર્ચ -
અહીં=સંસારમાં, કુસંસર્ગ દોષ માટે છે. સુસંસર્ગ ગુણને લાવનાર છે અને આ કુત્સિત પુરુષોનો સંસર્ગ દોષને લાવનાર છે અને ઉત્તમપુરુષોનો સંસર્ગ ગુણને લાવનાર છે એ, બંને પણ અહીં=સંસારમાં, મધ્યમબુદ્ધિમાં પ્રતિષ્ઠિત છે. ll૧૮ll