SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : तवापि राज्यहरणे, तद्दाने वा यथेच्छया । शक्तोऽसौ न तथा तेऽत्र, राजन्! आज्ञा प्रकाशते ।।२।। શ્લોકાર્થ : યથેચ્છાથી તારા પણ રાજ્યના હરણમાં અથવા તેના દાનમાં તને રાજ્યના દાનમાં, આ સમર્થ છે. તે પ્રમાણે હે રાજન ! તારી આજ્ઞા અહીં=સંસારમાં, પ્રકાશન પામતી નથી. ll શ્લોક : परमार्थेन तेनासौ, भोक्ताऽस्येत्यभिधीयते । यतः प्रभुत्वमाज्ञायां, प्रभूणां किल गीयते ।।३।। શ્લોકાર્ય : તે કારણથી પરમાર્થથી આ=કર્મવિલાસરાજા, આનો ભોક્તા એ પ્રમાણે કહેવાય છે. જે કારણથી આજ્ઞાનું પ્રભુત્વ પ્રભુનું ગવાય છે. અર્થાત્ જેની આજ્ઞા સર્વત્ર અખ્ખલિત હોય તે પ્રભુ કહેવાય છે માટે આ નગરનો પ્રભુ કર્મવિલાસરાજા છે. llll. મનુષ્યલોકના સર્વમનુષ્યો કર્મપરિણામરાજાની આજ્ઞા અનુસાર જ વર્તે છે અને કર્મપરિણામ રાજાએ પોતાની ઇચ્છાથી શત્રુમર્દનને રાજ્ય આપ્યું છે. તેથી રાજ્યના દાનમાં અને રાજ્યના હરણમાં કર્મવિલાસરાજા સમર્થ છે, જે પ્રમાણે કર્મવિલાસરાજાની આજ્ઞા સર્વત્ર પ્રકાશે છે તે પ્રમાણે શત્રુમદન રાજાની આજ્ઞા સર્વત્ર વર્તતી નથી. માટે પરમાર્થથી કર્મપરિણામરાજા જ આ નગરનો ભોક્તા છે એમ કહેવાય છે. શ્લોક : नरपतिरुवाचयद्येवं भगवन्! एष, कस्मात्रेहोपलभ्यते । सूरिणाऽभिहितं राजन्! समाकर्णय कारणम् ।।४।। શ્લોકાર્થ : રાજા કહે છે – જો આ પ્રમાણે છે આ નગરનો રાજા કર્મવિલાસ છે એ પ્રમાણે છે, તો તે ભગવંત! આ=કર્મવિલાસ, અહીં-આ નગરમાં, કેમ દેખાતો નથી? સૂરિ વડે કહેવાયું – હે રાજન્ ! કારણ સાંભળ. III શ્લોક : यतः कर्मविलासोऽयमन्तरङ्गो महानृपः । अतो न दर्शनं याति, सर्वदैव भवादृशाम् ।।५।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy