________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
હર્ષથી પ્રફૂલ્લિત થયાં છે કમલરૂપી નેત્ર જેનાં એવી=અત્યંત હર્ષિત થયેલી, તોપણ ગુરુલજ્જાથી=માતા-પિતાની લજ્જાથી, તેમનું કહેલું બહુ માનતી વધૂ મૌન રહી. II૪૦||
ततः पतितानि चत्वार्यपि भगवच्चरणयोः । ऋजुराजेनोक्तं वत्स ! संपादयामो यदादिष्टं भगवता, भगवानाह - उचितमिदं भवादृशां भव्यानाम्, ततः पृष्टो भगवानेव प्रशस्तदिनं राज्ञा, भगवतोक्तंअद्यैव शुद्ध्यतीति, ततस्तत्रस्थेनैव नरेन्द्रेण दापितानि महादानानि, कारितानि देवपूजनानि, स्थापितः शुभाचाराभिधानः स्वतनयो राज्ये, जनितो नागरिकजनानां चित्तानन्द इति ।
૧૩૩
ત્યારબાદ ચારેયનો ભગવાનના ચરણમાં નમસ્કાર. ત્યારપછી ચારેય પણ ભગવાનના ચરણમાં પડ્યાં, ઋજુરાજા વડે કહેવાયું, હે વત્સ ! અમે સંપાદન કરીએ જે ભગવાન વડે કહેવાયું છે. ભગવાન કહે છે તમારા જેવા ભવ્ય જીવોને આ ઉચિત છે, તેથી ભગવાનને જ રાજા વડે પ્રશસ્ત દિવસ પુછાયો, ભગવાન વડે કહેવાયું આજે જ શુદ્ધ છે=દિવસ શ્રેષ્ઠ છે. એથી ત્યારપછી=મહાત્માએ દિવસશુદ્ધિ કરી ત્યારપછી, ત્યાં રહેલા જ રાજા વડે મહાદાન અપાયાં, દેવપૂજા કરાવાઈ, શુભાચાર નામનો પોતાનો પુત્ર રાજ્યમાં સ્થાપન કરાયો. નગરના લોકોના ચિત્તમાં આનંદ ઉત્પન્ન કરાયો.
શ્લોક ઃ
ततो नर्व कर्त्तव्यं प्रव्रज्याकरणोचितम् ।
गुरुणार्पित सद्भावं दीक्षितं च चतुष्टयम् ॥ १ ॥
શ્લોકાર્થ :
ત્યારપછી પ્રવ્રજ્યાકરણને ઉચિત કર્તવ્યનું સંપાદન કરીને અર્પિત સદ્ભાવવાળા ચારેય ગુરુ વડે દીક્ષિત કરાયા. ||૧||
શ્લોક ઃ
ततस्ते कृष्णरूपे द्वे, डिम्भे तूर्णं पलायिते ।
शुक्लरूपं पुनस्तेषां प्रविष्टं तनुषु क्षणात् ।।२।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી કૃષ્ણરૂપ તે બંને બાળકો તરત પલાયમાન થયા. વળી, શુક્લરૂપ તેઓના શરીરમાં ક્ષણમાં પ્રવેશ પામ્યું. IIII
તે ચારેય મહાત્માઓના શરીરમાંથી નીકળેલું અજ્ઞાન અને સંસાર પ્રત્યેના સંશ્લેષરૂપ પાપ પલાયમાન થયાં. અને આર્જવના પરિણામરૂપ શુક્લબાળક શરીરમાં પ્રવેશ્યું તેથી સરળપ્રકૃતિથી તે ચારેય મહાત્માઓ