SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : सदोषेयमिति ज्ञात्वा, ये पुनः पुरुषोत्तमाः । स्वदेहगेहानिःसार्य, चित्तद्वारं निरुन्धते ।।६।। ते सर्वोपद्रवैर्मुक्ताः, प्रलीनाशेषकल्मषाः । आत्मानं निर्मलीकृत्य, प्रयान्ति परमं पदम् ।।७।। युग्मम् શ્લોકાર્ધ : આ=ભોગતૃષ્ણા દોષવાળી છે. એ પ્રમાણે જાણીને જે વળી પુરુષોતમો સ્વદેહના ગેહમાંથી બહાર કાઢીને=ભોગતૃષ્ણાના પરિણામને બહાર કાઢીને, ચિત્તના દ્વારને નિરોધ કરે છે, તે મહાત્માઓ સર્વ ઉપદ્રવોથી મુક્ત અલીન અશેષકલ્મષવાળા=સંપૂર્ણ કર્મરૂપી કાદવ વગરના, આત્માને નિર્મલ કરીને પરમ પદને પ્રાપ્ત કરે છે. II૬-૭ll શ્લોક : येऽनया रहिताः सन्तस्ते वन्द्या भुवनत्रये । वशे गताः पुनर्येऽस्याः, साधुभिस्ते विगर्हिताः ।।८।। શ્લોકાર્ચ - આનાથી રહિત=ભોગતૃષ્ણાથી રહિત, જેઓ છે તેઓ ભુવનત્રયમાં બંધ છે. વળી, જેઓ આના વશમાં ગયેલા છે=ભોગતૃષ્ણાના વશમાં વસે છે. તેઓ સાધુઓથી-શિષ્ટપુરુષોથી વિગહિત છે. ll૮II શ્લોક : अनुकूला भवन्त्यस्या, ये मोहादधमा नराः । तेषामेषा प्रकृत्यैव, दुःखसागरदायिका ।।९।। શ્લોકાર્ય : જે અધમ પુરુષો મોહથી આને અનુકૂલ થાય છે તેઓને તે જીવોને, આ=ભોગતૃષ્ણા, પ્રકૃતિથી જ દુખસાગરને દેનારી છે. ll ll શ્લોક : प्रतिकूला भवन्त्यस्या, ये पुनः पुरुषोत्तमाः । तेषामेषा प्रकृत्यैव, सुखसन्दोहकारिका ।।१०।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy