SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કરીને ક્ષમાદિ ભાવો રૂપ દશ પ્રકારના યતિધર્મને રોજ ભાવન કરનારા છે. ઇન્દ્રિયોના વિકારોના અનર્થનું ભાવન કરનારા છે તેથી સુંદર કર્મોના ક્ષયોપશમથી સુંદરમતિવાળા એવા તે જીવો સતત સુંદરમતિની વૃદ્ધિ કરે છે, વિકારોને અલ્પ કરે છે. સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે અને સર્વવિરતિ તેઓને કષ્ટમય ક્રિયારૂપ દેખાતી નથી. પરંતુ વિકારોની અનાકુળતારૂપ સુખ સ્વરૂપ દેખાય છે. અને બાલ જીવોને ઇન્દ્રિયોના વિષયોથી અતિરિક્ત કંઈ સુખ દેખાતું નથી. પરંતુ ઇન્દ્રિયોના વિકારોને વશ થઈને ભોગાદિની વૃત્તિમાં જ સુખ દેખાય છે તેથી મૂઢ એવા તે જીવો શ૨ી૨થી પણ ક્ષીણ શક્તિવાળા થાય છે, ચિત્ત પણ ગાઢ આસક્તિવાળું થાય છે. ક્લિષ્ટકર્મોને બાંધીને એ જીવો દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરનારા છે આ પ્રકારનો બાલ અને મનીષી વચ્ચેનો ભેદ છે. 05 स्पर्शनासक्तबालस्याप्रज्ञापनीयता बालेनापि ततः प्रभृति गाढतरं कोमलशयनसुरताद्यासेवनानि स्पर्शनप्रियाणि दिवानिशमाचरता परित्यक्तो राजकुमारोचितः शेषव्यापारः, परिहृतं गुरुदेवपादवन्दनं, विमुक्तं कलाग्रहणं, शिथिलीकृता लज्जा, अङ्गीकृतः पशुधर्मः । ततोऽसौ न गणयति लोकवचनीयतां, न रक्षति कुलकलङ्क, न जानीते स्वस्योपहास्यतां, नोऽपेक्षते कुशलपक्षं, न गृह्णाति सदुपदेशान्, केवलं यत्र कुत्रचित् नारीसङ्गमासनमन्यद्वा किञ्चित्कोमलमुपलभते तत्र तत्राविचार्य तत्स्वरूपं लौल्यातिरेकेण प्रवर्त्तत एव । ततो मनीषी संजातकरुणस्तं शिक्षयति, स्पर्शनस्य मूलशुद्धिमाचष्टे, वञ्चकोऽयमिति दीपयति, ‘પ્રાત: ! નાસ્ય વિશ્વસનીય, પરમરિપુરેષ સ્પર્શન' કૃતિ તે વાતું પુનઃ પુનપોવતિ । વાત: પ્રાદमनीषिन् ! अलमनेनादृष्टार्थेन प्रलापेन, य एष मे वरवयस्योऽनन्तागाधसुखसागरावगाहने हेतुः स एव ते परमरिपुरिति कैषा भाषा ? मनीषिणा चिन्तितं - मूढः खल्वेवैष न शक्यते निवारयितुं, अतोऽलमेतन्निवारणेन, स्वरक्षणे मया यत्नो विधेयः । સ્પર્શન આસક્ત બાલની અપ્રજ્ઞાપનીયતા ત્યારથી માંડીને=સ્પર્શને પોતાની શક્તિનો પ્રભાવ બતાવ્યો ત્યારથી માંડીને, ગાઢતર કોમલશયન સ્ત્રી આદિના આસેવનને દિવસ-રાત આચરતા એવા બાલ વડે રાજકુમારને ઉચિત શેષ વ્યાપાર પરિત્યાગ કરાયો, ગુરુદેવના પાદવંદનનો પરિહાર કરાયો, કલાગ્રહણ મુકાઈ, લજ્જા શિથિલ કરી, પશુધર્મ સ્વીકારાયો, તેથી આ=બાલ, લોકની નિંદનીયતાને ગણતો નથી, કુલકલંકનું રક્ષણ કરતો નથી, પોતાની ઉપહાસ્યતાને જાણતો નથી, કુશલપક્ષની અપેક્ષા રાખતો નથી, સદુપદેશને ગ્રહણ કરતો નથી, જે કોઈ સ્થાનમાં સ્ત્રીના સંગને, આસનને અથવા અન્ય કંઈ કોમલવસ્તુને કેવલ પ્રાપ્ત કરે છે તેના સ્વરૂપને વિચાર્યા વગર લાલસાના અતિરેકથી ત્યાં પ્રવર્તે જ છે. તેથી સંજાત કરુણાવાળો મનીષી=બાલ પ્રત્યે થઈ છે કરુણા જેને એવો મનીષી તેને=બાલને, શિખામણ આપે છે, સ્પર્શનની
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy