SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૮૭ સ્પર્શનની યોગશક્તિનો બાલ ઉપર પડેલો પ્રભાવ જ્યારે મનીષીની સાવધાની અન્યદા સ્પર્શન વડે જલ્પનો પ્રસ્તાવ કરાયો બાલ અને મનીષી સાથે, વાર્તાલાપ કરાયો, અને તેના વડે=સ્પર્શેન્દ્રિય વડે, કહેવાયું અરે ! આ લોકમાં સાર શું છે? અથવા સર્વ જીવો શું અભિલાષા કરે છે ? બાલ વડે કહેવાયું, હે મિત્ર સ્પર્શત ! આમાં લોકમાં, સાર શું છે અથવા સર્વ જીવો શું અભિલાષ કરે છે એમાં, શું પૂછવા જેવું છે. સુપ્રસિદ્ધ આ છે. સ્પર્શત કહે છે – તે શું છે? તે કહે= લોકમાં સાર શું છે અથવા બધા લોકો શું ઈચ્છે છે તે કહે. બાળ કહે છે. તે મિત્ર ! સ્પર્શત ! સુખ= લોકોમાં સાર સુખ છે. સ્પર્શત કહે છે. તો તે સુખ જ, સદા કેમ સેવન કરાતું નથી ? બાલ વડે કહેવાયું – તેના સેવનનો ઉપાય કોણ છે ? સ્પર્શત વડે કહેવાયું, હું છું=બધા જીવોના સુખનો હેતુ હું છું, બાલે કહ્યું – કેવી રીતે ? સ્પર્શત કહે છે મારામાં યોગશક્તિ છે તેનાથી પ્રાણીઓના શરીરમાં અનુપ્રવેશ કરીને હું બહાર અને અત્તર કોઈક ઠેકાણે લીન રહું છું=સ્પર્શેન્દ્રિયને વશ થયેલા જીવો બાહ્ય ભોગસામગ્રીમાં અને અંતરંગ ભોગસામગ્રીના સ્વાદ લેવાના જ્ઞાનના ઉપયોગમાં લીન હોય છે તે સ્પર્શનની યોગશક્તિ છે અને તેનાથી તે સ્પર્શત મતિજ્ઞાનના ઉપયોગરૂપે શરીરમાં પ્રવેશે છે, બહિર્ વિષયોમાં અને અંતરંગ જ્ઞાનના ઉપયોગના કોઈક સ્થાનમાં લીન રહે છે તેથી સ્પર્શેન્દ્રિયજન્ય કોઈક સુખનો અનુભવ થાય છે. અને તેથી મારામાં આવી યોગશક્તિ છે તેથી, જો ભક્તિપૂર્વક તેઓ=લોકો, મારું ધ્યાન કરે તો કોમલ સુંદર સ્ત્રીઓના સ્પર્શતા સંબંધને કરે છે તેથી નિરુપમ સુખને પામે છે. તે કારણથી સુખ સેવાનો ઉપાય હું છું. આ પ્રમાણે સ્પર્શને કહ્યું ત્યાં મનીષી વડે વિચારાયું, ખરેખર આતા દ્વારા=સ્પર્શન દ્વારા, અમારા બેલા ઠગવાનો પ્રપંચ રચાયો છે. બાલ વડે કહેવાયું – હે મિત્ર! તે કારણથી તારી પાસે અચિત્યયોગ શક્તિ છે તે કારણથી, કેમ આટલા કાળ સુધી આવે તારી યોગશક્તિને, અમને આવેદિત કરી નહીં. ખરેખર તેના અનાસેવન દ્વારા કોમલ સુંદર સ્ત્રીઓના સ્પર્શન નહીં સેવન દ્વારા, આવા પ્રકારના સુખનો ઉપાય વિદ્યમાન હોતે છતે પણ અધવ્ય એવા અમે ઠગાયા. અહો !=આશ્ચર્યકારી, તારી=સ્પર્શનની, ગંભીરતા, જે કારણથી પોતાની આવા પ્રકારની પણ યોગશક્તિને પ્રગટ કરતો નથી. તે કારણથી તારામાં સુખ આપવાની અપૂર્વ યોગશક્તિ છે તે કારણથી, હમણાં પણ પ્રસાદને કર=બાલ સ્પર્શનને કહે છે અમારા ઉપર પણ પ્રસાદને કર, કુતૂહલને બતાવ, યોગશક્તિને વ્યાપારવાળી કર, અમારા બેના=બાલ અને મનીષી એવા અમારા બેના, સુખસેવાનો હેતુ તું થા, ત્યારપછી, શું આ=મારી યોગશક્તિ, કરાય ? એ પ્રકારના દૃષ્ટિના વિકારથી જ બતાવતા અભિપ્રાય સહિત એવા સ્પર્શત વડે મનીષીનું મુખ જોવાયું તેથી=સ્પર્શ મનીષીનું મુખ જોયું તેથી, હું જોઉં. આ શું કરે છે=સ્પર્શ શું કરે છે, એ પ્રમાણે વિચારીને મનીષી વડે કહેવાયું – હે મિત્ર ! બાલભાષિત=બાલે કહેલું, કરાવ આમાં તારી યોગશક્તિના નિરીક્ષણમાં, શું વિરોધ હોય? તેથી=મનીષીએ બાલભાષિત કરવાનું કહ્યું તેથી, સ્પર્શ વડે પદ્માસનની રચના કરાઈ, કાયાને સ્થિર કરી. બહિવિક્ષેપનો ત્યાગ કર્યો. દૃષ્ટિને નિશ્ચલ કરાઈ, નાસિકાના અગ્રમાં દૃષ્ટિ સ્થાપન કરાઈ, હૃદયકમળમાં મન ધારણ કરાયું, તત્ પ્રત્યયની એકતાનતા થઈ, ધ્યાન સમાપૂરિત
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy