SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અવતિનું આધિપત્ય હતું–તે ઘણું જ ઓછું થઈ જાય છે, એટલે એક ગણતરીએ નન્તિવર્ધન ૨૦ અને મહાનનિ ૪૩ એમ ૬૩ વર્ષ તથા બીજી ગણતરીએ નવિર્ધન ૪૦ અને મહાનજિ ૪૩ એમ ૮૩ વર્ષ થાય છે, પરંતુ ૫૦ વર્ષ થવું જોઈએ તે થતું નથી. કારણ કે પુરાણે પ્રોતના રાજકાંત ૫છી, પાટલીપુત્રના સિંહાસને નન્દિવર્ધન ૨૦ વર્ષ, મહાનન્દિ ૪૩ વર્ષ અને પછી મહાપ અથવા તે નન્દિવર્ધન ૪૦ વર્ષ, મહાનનિ ૪૩ વર્ષ અને પછી મહાપત્ર, એ અનુકમ લખી રહ્યાં છે. એ વાતથી તેઓ અપરિચિત છે કે, નનિવર્ધન પ્રદ્યોતના રાજ્યાંત પૂર્વે ૫ વર્ષે રાજગૃહીની પિટાગાદી પર આવ્યું હતું, અને મહાપદ્મ એ મહાનનિને પુત્ર નહિ, પરંતુ પ્રદ્યોતના રાજ્યત સમયે પાટલી પુત્રના સિંહાસને આવેલા પ્રથમનંદન નવમે પુત્ર હોઈ તે નદિવર્ધન પછી રાજગૃહીમાં રાજ્ય કરતા મહાનંદિના રાજ્યારંભ પછી ૧૫ વર્ષ અને પાટલીપુત્રમાં રાજ્ય કરતા પ્રથમનંદના (૪૦ વર્ષ) પુત્રોના–સાત નદના (૧૨ વર્ષ) રાજ્યાં પછી, અર્થાત; પ્રથમનન્દના રાજ્ય રંભથી ૪-૧૨=પર વર્ષે પાટલીપુત્રમાં અભિષિત થયે હતો. આ સર્વ હકીકત આગળ પર આ લેખમાં સાબિત કરવા માં આવશે. આ લેખની ગણતરી પ્રમાણે પ્રદ્યોતાનું રાજય મ. નિ ૬૦ વર્ષ ચાલી ૬૧ માં વર્ષમાં સમાપ્ત થયું હતું એ ૬૧ મા વર્ષને ન ગણીએ અને હિમવંત ઘેરાવલી પ્રમાણે ૧૧૩ ના બદલે ૧૧રમાં મહાપદ્યનો રાજયારંભ ગણીએ તે, મ. નિ. ૬૨ થી ૧૧૨ સુધી બરોબર ૫૦ વર્ષ થતાં પ્રદ્યોતના રાજ્યાંતથી મહાપવના રાજ્યાભિષેકનું અંતર જે મ. નિ. ૬૧–૧૧૩ સુધી ૫ર વર્ષ ગણવામાં આવ્યું છે તે બરાબર ૫૦ વર્ષ આવશે. મહાભારતના યુદ્ધ અને સહદેવના મૃત્યુ પછી ૧૦૦૦ વર્ષ “તેઓનું રાજય થશે અને પરીક્ષિતના જન્મથી એટલે મહાભારતના યુદ્ધ લગભગથી ૧૦૫૦ વર્ષે મહાપમાયાભિષેક થયું હતું, આ બે કથન વચ્ચે વિરોધ ન આવે–એ બે બનાવે વચ્ચે ૫૦ વર્ષનું અંતર છે તે સાબીત થાય એ હેતુથી “તેઓનું” એમાં પ્રદ્યોતે પણ હવાની કલ્પના કરવામાં આવી છે હવે મહાભારતના યુદ્ધથી એ બે બનાવે વચ્ચે કેવી રીતે ૧૦૦૦ અને ૧૦૫૦ વર્ષને ગાળો છે તેને તપાસવા પુરાએ નેધેલી અને મેં ત્રુટક જૈનઉલલેખેથી શુદ્ધ કરેલી વંશાવલી તરફ વળીએ. મસ્યાદિ પુરાણમાં આપેલી વંશાવલીમાં લખાયેલા રાજાઓનાં નામ, તેમનો ક્રમ અને રાજકાલ વિગેરે એ જેમ સર્વથા વ્યવસ્થિત અને વિશ્વસનીય નથી, તેમ ત્યાં લખાયેલું ભારતના યુદ્ધથી પ્રદ્યોતના રાજ્યત કે મહાપાભિષેક સુધીનું ૧૦૦૦ કે ૨૦૫૦ વર્ષ સુધીનું અંતર પણ સર્વથા વ્યવસ્થિત કે વિશ્વસનીય નથી જ. જેની ગણનાનુસાર ભારતયુદ્ધ અને નન્દના રાજ્યારંભ વચ્ચે લગભગ ૮૪-હજારથી ૮૫ હજાર વર્ષ સુધીનું અંતર મનાયું છે એ હકીકતને બાજુએ મુકીએ તો પણ વૈદિક સાહિત્ય અને અન્યગ્રંથોના આધારે સંશોધક વિદ્વાને એ અંતરને ૧૦૦૦ અને ૧૦૫૦ કરતાં વધારે જ માને છે. તેઓના સંશોધન મુજબ ભારતયુદ્ધ અને પ્રદ્યોતના યાત પછી સ્થપાએલા નન્દરાજ્યથી પ્રવર્તેલ નંદસંવત, એ બે વચ્ચેનું અંતર ૨૬૩૪ વર્ષ, મતાન્તરે ૧૯૮૧ વર્ષ આવે છે. જેમકે :
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy