SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય ~~ ~-~પાલક ૨૦ વર્ષ, મ. નિ. ૦–૨૦ (વિ. સં. પૂ. ૪૧૦-૩૦, ઈ. સ. પૂ. ૪૬૭-૪૪૭ ) પ્રદ્યોત-ચંડપ્રદ્યોત પછી અવન્તિની ગાદી પર તેને પુત્ર પાલક આવ્યું. આ વાતમાં જૈનસાહિત્ય અને પુરાણાદિ એક મત છે. આ પાલકને રાજકાલ શ્રીમેરૂતુંગાચાર્યની વિચારશ્રેણિમાં ૬૦ વર્ષ નહિ પણ ૨૦ વર્ષ કહ્યો છે. ૧૬ એ કથનને સચોટ સમર્થન કરનારાં અન્ય કોઈ સાધન જૈનસાહિત્યમાં જાહેર નથી, પણ પુરાણેથી તેનું સમર્થન અમુકાશે થઈ શકે તેમ છે. મત્સ્યપુરાણમાં પાલકને રાજત્વકાલ ૨૪ વર્ષ કહેવામાં આવ્યો છે. પરંતુ તેણે નહિં નેધેલા એવો અવન્તિવર્ધનને ૪ વર્ષને રાજત્વકાલ પણ પાલકના રાજત્વકાલમાં નંખાઈ જવાથી પાલકનાં ૨૦ ના બદલે ૨૪ વર્ષ થઈ ગયાં હોય એમ લાગે છે. છે અવન્તિવર્ધન ૪ વર્ષ મ. નિ, ૨૦-૨૪ (વિ. સં. પૂ. ૩૯-૩૮૬ ઈ. સ. પૂ. ૪૪૭-૪૪૩) જેન સાહિત્ય તો સ્પષ્ટ રીતે લખે છે કે, પાલક પછી અવન્તિવર્ધન આવ્યું. વિષયલાલસામાં નિષ્ફળતા અને ભાતૃવધને પશ્ચાત્તાપ એ બે કારણે તેના રાજ્યારૂઢ થયા પછી બે ચાર વર્ષમાંજ બનેલાં હોવાં જોઈએ અને તેથી તેને રાજત્વકાલ પણ તેટલા પુરત જ હે જોઈએ. મસ્યાદિપુરાણમાં પાલક પછી વિશાખયૂપનું રાજ્ય લખી એને રાજવકાલ ૫૦ વર્ષ કે ૩૫ વર્ષ લખવામાં આવ્યો છે. કેટલાક પાઠમાં વિશાખયૂ૫ પછી અવન્તિવર્ધનનું નામ લખવામાં આવે છે, પરંતુ મસ્યાદિ પુરાણમાં મુખ્ય રીતે વિશાખયુ૫ પછી સૂર્યક (અજક, જન) નું જ નામ મળે છે, તેથી અવન્તિવર્ધન એ વિશાખયૂ૫ પહેલાંને રાજા હવે જોઈએ, નહિ કે પછી. આ અવન્તિવર્ધન પાલકનો પુત્ર છે, પણ મતાંતરે કદાચ ગોપાલને પુત્ર હોય તે તે ગેપાલદાર–આર્યક તરીકે પણ કહેવાતું હોય, પરંતુ જે અવન્તિવર્ધન ગેપાલને પુત્ર ન જ હોય તે, કથાસરિત્સાગર અને મૃછક્કટિક પ્રમાણે ગોપાલતારક-આર્યક એ ગોપાલને પુત્ર હેઈ, તે પાલક પછી ને અવન્તિવર્ધન પહેલાં બહુ જ અ૫સમય સુધી અવન્તિના સિંહાસને ટો હશે, કે જેથી તેને રાજત્વકાલ કોઈ લેખામાં જ ન હોવાથી તેને અને તેના રાજત્વકાલને જૈનસાહિત્ય કે મસ્યાદિ પુરાણેએ જ નથી. પ્રધાનેએ પાલકને પદભ્રષ્ટ કરી, પાલકે કેદખાનામાં પુરેલા તેના ભત્રીજા ગોપાલદારકને બહાર કાઢી તેને અવન્તિ-રાજ્યપર બેસાડયા હશે, પણ મુખ્ય વારસ પાલકપુત્ર-અવન્તિવર્ધનથી તે રાજ્ય પર સ્થિર થયા પહેલાં જ દૂર કરાયે હશે. , () શ્રીવીનિવળાવ વિરાછાશ પાચં ૨૦ વનિતા વિચારશ્રેણિમાં પાલકના રાજય પછી નન્દોનું અને પછીથી આવનાર રાજાઓનું રાજ્ય લખ્યું છે તેમાં જે રાજત્વકલ નધિવામાં આવ્યો છે તે સંગત કરી શકાય તેમ નથી, પણ પાલકના સંબંધમાં રાજત્વકાલ કહ્યો છે તેનું અન્ય સાધનથી સમર્થન મળતું હોય તો તે ન માનવાને કાઈ કારણું નથી.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy