SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય અંક માત્ર લખવાથી કરવામાં આવી છે. કેટલાક લેખક મહાશયો ચષ્ટનને રાજત્વકાલ ૮૦થી ૧૧૦ સુધી લખે છે તે ૮૦ ની સાલ ઉપરોકત ૭૮ ની લગભગ છે. હવે આપણે સમજી શકીશું કે, ટોલેમી ઈ. સ. ૧૨૮ થી ઇ. સ. ૧૫૬ સુધી વિદ્યમાન પિલામાવીના સમકાલીન, જે ટીસ્ટનેસને કહી રહ્યો છે તે ટીઅસ્ટનેસ ચપ્ટન નહિ, પણ ચટનવંશી–તેના સમયમાં ઉજજયિનીમાં રામ-કર ચટ્ટણને પાત્ર-અદામા હતે. ટોલેમીએ પિતાની ભૂગોળ દ્ધદામાનું અવન્તિ પર રાજ્ય સ્થપાયા બાદ જ લખેલી હોવી જોઈએ, નહિ કે ઈ. સ. ૧૩૮ થી પહેલાં ઈ. સ. ૧૩૦ ની લગભગમાં. ટોલેમીની ભૂગોળને ચષ્ટનના સમય સુધી લઈ જવામાં, મને નથી લાગતું કે કોઈ પ્રામાણિક પુરા હોય. અસ્તુ. ચષ્ટનને પિતા સામતિક ક્ષત્રપ હતો. તે મહાક્ષત્રપ બન્યો નથી, પણ ચપ્ટન પહેલાં ક્ષત્રપ હાઈ પછી મહાક્ષત્રપ થયો છે. ચક્ટનના વંશમાં ક્ષત્રપ અને મહાક્ષત્રપને જે ઈલ્કાબ લખવામાં આવે છે તે કેઇના તાબેદાર સૂબા અને સરસબા જેવો નહિ, પણ યુવરાજ અને સ્વતંત્ર રાજા જેવો છે. આમ છતાં ચક્ટને કે તેના વંશજ સ્ત્રદામાં જેવાએ પણ હિંદી સ્વતંત્ર રાજાને માટે લખી શકાય તેવો મહારાજાધિરાજનો ઈલ્કાબ લખ્યો હોય એમ જણાતું નથી. ક્ષહરાટ અને શકમાં ક્ષત્રપ, મહાક્ષત્રપ અને સાહી તરીકે જ પિતાની ઓળખાણ આપવાની ખાસીયત હોય એમ તેમના લેખો અને સિક્કાઓથી સમજાય છે, પછી ભલેને, તેઓ કોઈની સૂબેદારી કરતા હોય કે સર્વથા રવતંત્ર હેય. ભૂમક, નહપાણ, જિઓનિસિઅસ રાજુલૂલ, વિગેરે; પાર્થિયનો યા ગ્રી કે કુશાનોની જેમ પિતાને મહારાજા, રાજરાજા, રાજાધિરાજ, વિગેરે ન લખતાં રાજા ક્ષત્રપ, રાજા મહાક્ષત્રપ સ્વામી એવી રીતે જ પિતાને લખી રહ્યા છે. ચષ્ટનવંશી ક્ષત્રપમાં એવી પણ ખાસીયત જણાય છે કે, પિતાની પાછળ વડીલપુત્ર વારસ થાય પણ તેને નાના ભાઈઓ ન હોય તે. જે નાના ભાઈઓ હોય તે વડીલપુત્રથી પહેલાં તેઓ જ ગાદી પર આવતા હતા. મહાક્ષત્રપ ચપ્ટન રાજા પછી તેની ગાદી પર જયદામાં આવ્યું હતું. ચેષ્ટનનો પુત્ર અને રદ્ધદામાને પિતા આ રાજા લેખ અને સિક્કામાં ક્ષત્રપ લખાય છે તે પરથી અને દામાં જૂનાગઢના શિલાલેખમાં પિતાના હાથે જ મહાક્ષત્રપ પદ મેળવવાની વાત લખે છે તે પરથી સંશોધકે એવું અનુમાન બાંધે છે કે, જયદામા એ ચપ્ટન કે રુદ્રદામા જેવો પરાક્રમી નહિ, પણ નિર્બળ રાજા હોઈ તે તેના પિતાએ જીતેલા અને તેને વારસામાં મળેલા પ્રદેશો પર સ્વતંત્ર રહી શક્યો નથી, તેને આન્ધોની આધીનતા સ્વીકારવી પડી હશે. કહે છે કે, આ જ કારણથી તેના પુત્ર સ્વદામાને આશ્વરાજાને બે વાર હરાવવાની ફરજ પડી હતી. આ ઉપરથી રાષ્ટ્ર વિગેરે પ્રદેશની, શકે અને આન્દ્રો વચ્ચે લે દેની પરંપરા ચાલી હતી એવો અર્થ થાય છે. શક પાસેથી શાલિવાહને એ પ્રદેશ જીતી લઈ તાબે કર્યા હતા તે ચક્ટને શાલિવાહનના ' અને શુદ્રકના મૃત્યુ બાદ આન્ધરાજા શિવશ્રીસાતણિ પાસેથી જીતી લઈ પિતાને તાબે કર્યો. આ પછી તે પ્રદેશને ચપ્ટનના પુત્ર જયદામા પાસેથી આદ્મરાજા શિવસ્વાતિ પછી આવેલા ગૌતમીપુત્ર યજ્ઞશ્રી સાતકર્ણએ જીતી લઈ તાબે કર્યા હતા તે દામાએ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી સાતકણું પછી આવેલા વાશિષ્ઠીપુત્ર પુમાવી પાસેથી પડાવી લીધા. ઔદામાએ સા. ક. વા. ૫. ચત્રપણને બે વાર ખુલ્લા યુદ્ધમાં હરાવી આ% અને આશ્વભરના પાસેથી તેના પિતામહના તાબામાં નહિ એવા અપરાંત, નિષાદ, અનુપદેશ, આકરાવન્તિ, વિગેરેને જીતી લઈ તેમને એવા તે નિર્બળ બનાવી દીધા કે તેઓ ફરીથી પાછા ઊભા જ થઈ શકે નહિ. ગર્દભિલે પછી મ. નિ. ૫૪૫ (ઈ. સ. ૭૮) વર્ષે અવન્તિને તાબો મેળવી ત્યાં આન્ધાએ ૬૦ વર્ષ રાજ્ય કર્યું. આ પછી અદામાએ મ. નિ. ૬૦૫ (ઈ. સ. ૧૭૮ ) વર્ષે અવન્તિનું આધિપત્ય મેળવ્યું તે તેના વંશજોના હાથમાં અઢીસે કરતાં ય વધારે વર્ષ રહી, અંતે મ. નિ. ૮૫૭ થી ૮૬૨ (ઈ. સ. ૩૯૦ થી ૩૯૫)ના અરસામાં ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત બીજાના હાથમાં ગયું. આ સમય દરમિયાન સૌરાષ્ટ્ર, હાલને કાઠિયાવાડ શકે અને તેમના માંડલિક આભીરોના હાથમાં હતું.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy