SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. વણી આપનાર “ચાણિગ” હતો એ પણ તે જણાવી રહી છે. થેરાવલો આ સિવાય વિશેષ કઈ ચન્દ્રગુપ્ત કે ચાણકયની ઓળખ આપતી નથી ચન્દ્રગુપ્તનો પિતા મૌર્યું હોવાથી તેને વંશ મૌર્યનામથી ઓળખાય છે એવું નક્કી કરવા શેરાવાલી આપણને મહતવની મદદ કરી રહી છે, સિવાય કે વધારે પ્રામાણિક અન્ય સાધને ન મળે. અસ્તુ, આથી પણ વિશેષ સંશોધન માગતી ઉપરોક્ત હકીકતને આપણે અહિં જ છોડી દઈએ. ચન્દ્રગુપ્ત મગષાધિપ બને, પછી તેના સામ્રાજ્યની શરૂઆતનાં વર્ષોમાં જે પરિસ્થિતિ હતી તેને રીતસર પહોંચી વળી માર્ય વંશનાં ઊંડાં મૂળ નાખવામાં તેને ચાણક્ય દ્વારા અનેક પ્રકારની રાજનીતિઓનો આશ્રય લે પડ હતો, એમ શ્રી હેમચંદ્રસૂરિ અને અન્ય લેખકના લખાણથી સમજાય છે. એક બાજુ મધ્યપ્રાંતમાં વર્ષોથી ભયંકર દુષ્કાળ પ્રવતી' રહ્યો હતો અને બીજી બાજુ મેટા સામ્રાજ્યના રક્ષણને પહોંચી વળાય તેવું વારસામાં મળેલું એક મોટું સૈન્ય નિભાવવાનું સામ્રાજ્યના માથે ભારે બેજે હતે. ચાણક્યની બુદ્ધિએ જેમ બને તેમ જલ્દીથી નાના અનુકવીઓ અને સામંતને સામાદિથી વશ કરી આજુબાજુના પ્રદેશમાં શાંતિ સ્થાપી દીધી અને પછી અર્થશાસ્ત્રના એ નિષ્ણાત પ્રાથમિક જરૂરિયાતને પહોંચી વળવા ખપ પુરતું દ્રવ્ય ભેળું કરી જેમ બને તેમ દુષ્કાલને હળ બનાવવા એક નહેર ખેદાવવાનું કાર્ય શરૂ કર્યું. કલિંગના જૈન મહારાજા ખારવેલને હાથીગુફાને શિલાલેખ આપણને કહી રહ્યો છે કે, એ નહેરનું ઉદ્દઘાટન “ir-fસવાર’ નન્દજાથી એટલે તેના સંવતથી ૧૦૩ વર્ષે, અર્થાત; આ લેખની ગણતરીએ મ. નિ. ૧૬૦ વર્ષે થયું હતું. ૨૧ ચાણક્યને વિદ્રોહી અને મફત રક્ષણ માગતા મમ્મીસ સમૃદ્ધોના પ્રતિ સખ્ત અને કવચિત કુટિલ પણ થવું પડયું હોય એ બનવા જ જગા છે. એ પરમ જેન હતા, પરંતુ તેની સાથે મગધ સામ્રાજ્યની ઉન્નત સ્થિતિને વિધાયક પણ હતો એ ભૂલવું જોઈએ નહિ. વારસામાં મળેલા લશ્કરને વધારવાની પણ આવશ્યક્તા ચાણકયે માની હતી અને તેના માટે પણ બહેળા દ્રવ્યની ખપ પડે જ. પૂર્વના ખજાનાનો કેટલોક ભાગ ચાણાકયે ચંદ્રગુપ્તના સસરા નન્દને લઈ જવા દીધો હતે આવી સ્થિતિમાં ચાણકય જેવો અર્થશાસ્ત્રી પોતાની બુદ્ધિને કાવતી રીતે ઉપયોગ કરે તો તેમાં નવાઈ નથી. ગમે તેમ પણ ચાણકય અને ચંદ્રગુપ્તથી ભારતવર્ષ ઉન્નતમુખ અને ગૌરવાન્વિત બન્યું હતું અને તેના પડઘા આજે (૧૨૧) . નિ. ૬૦ વર્ષે નજર જાયની શરૂઆત થઈ હતી. નજસંવતની શરૂઆત ત્યારથી ગણતાં તેને ૧૦૩ સંવત મ. નિ. ૧૬૩ વર્ષે આવે (૬૦+૧૩=૧૬૭ ) જુએ ખારવેલને એ લેખાંશ – " x x x x पंचमे च दानी बसे नंदराज-ति-वस-सत ओघाटितं तनसुलिय-वाटा પાઉં ના વેણ [૪] તિ []” શ્રી ખારવેલ પ્રશસ્તિ શ્રીયુત. કે. પી. જયસ્વાલ વાંચન પં. ૬ (બારવેલ પોતાના રાજ્યના પાંચમા વર્ષે-નંદરાજાનાં ૧૦૩ વર્ષે ખુલ્લી મુકાયેલી નહેરને તનસુલિય વાટથી (પિતાના) નગરમાં લાવ્ય)
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy