SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] સવિવરણ પસંગહપગરણુ E નામકરણ અને એની સાન્વતા પાંચસ’ગહના કર્તા ‘મહત્તર' ચન્દ્રષિએ આદ્ય ગાથામાં આ કૃતિનુ’નામ ‘પંચસ ગહુ' આપ્યું છે. અંતિમ ગાથામાં આને એમણે પગરણુ’ (સ’. પ્રકરણ) કહેલું છે. આની સ્વાપન્ન મનાતી વૃત્તિના અંતમાં આને શાસ્ત્ર' તરીકે ઉલ્લેખ છે. આ ઉપરથી આ કૃતિને આપણે ‘પંચસંગહ - પગરણુ’ અથવા ‘પ’ચસંગ્રહુશાસ્ત્ર' એ નામે આળખાવી શકીએ. ‘પાંચસંગહ’ નામ જ સૂચવે છે કે એ પાંચના સગ્રહરૂપ હશે અને વાત પણ તેમ જ છે. એટલું જ નહિ પણ આની ખીજી ગાથામાં આા નામની સાન્યતા દર્શાવતાં ગ્રન્થકારે જાતે કહ્યુ છે કે આમાં સયગ ઇત્યાદિ પાંચ ગ્રંથાના સંક્ષેપ (સમાવેશ) કરાયા છે. એથી આ નામ છે અથવા આમાં પાંચ દાર (દ્વાર) છે એથી આ નામ છે. ઉપયુ ક્ત પાંચે ગ્રંથા કયા તે વિષે સ્વેપન્ન મનાતી વૃત્તિમાં નિર્દેશ નથી. ફક્ત શતક (પા. સયગ) એટલું એક જ નામ અપાયું છે. બાકીનાં નામેા માટે તેા અત્યારે તે મલયગિરિસૂરિષ્કૃત ટીકાને જ આશ્રય લેવા પડે તેમ છે. આ સૂરિએ નીચે મુજબ પાંચ પ્રથા ગણાવ્યા છે ઃ— ( અનુસંધાન પૃ. ૫૬થી ચાલુ) મૂળ એની સ ંસ્કૃત છાયા તેમ જ એના તથા મલયગિરિસૂરિષ્કૃત ટીકાના હીરાલાલ દેવચંદ શાહે કરેલા ગુજરાતી અનુવાદ સાથે બે ખંડમાં ‘પાઁચસંગ્રહ” એ નામથી વિ, સ. ૧૯૯૧ ને ૧૯૯૭માં અનુક્રમે પ્રસિદ્ધ કરાયુ છે. અનુવાદક જાતે પ્રકાશક છે. પહેલા ખંડમાં ૩૯૧ ગાથા અને ખીન્નમાં ૬૦૦ ગાયા અપાઈ છે. ખને ખડમાં ગુજરાતીમાં વિસ્તૃત વિષયાનુક્રમ છે. વિશેષમાં ખીજા ખંડને અંગે વિદ્વલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીના ગુજરાતીમાં આમુખ છે. આમાં ભારતીય દર્શન-સાહિત્યમાં તેમ જ જૈન દર્શનમાં કર્મવાદનું સ્થાન, જૈન ક સાહિત્યના પ્રણેતાઓના નામેાલ્લેખ, જૈન ક્રવાદ–સાહિત્યની વિશિષ્ટતા, પ’ચસંગ્રહ અને એની વૃત્તિઓના સ ંક્ષિપ્ત પરિચય, પંચસંગ્રહના કર્તા ચદ્રષિ ‘મહત્તરના સમય અને એમની કૃતિઓ તેમ જ પ્રસ્તુત અનુવાદને અંગે બે ખેલ એમ વિવિધ ખાખતા અપાઇ છે.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy