SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬૦ મું ૫૦૭ ણીને કમલા બહુ જ દુ:ખ દેવા લાગી. દેવશર્માની સાથે સુખ ભોગવતાં કમલાને એકકાણી પુત્રીના જન્મ થયા. કાણી છતાં પણ માતા કમલા એને લાડ લડાવી ઉછેરવા લાગી. રૂકમિણી અપરમાતાના ત્રાસથી દુઃખી થતી ઢોર ચારવા ગયેલી, તે સીમમાં એક વૃક્ષની નીચે લમણે હાથ દઈ ને બેઠી હતી. તે સમયે ઇંદ્રના પુત્ર મેઘનાદની શ્રી મેઘવતીએ નારદનું અપમાન કરવાથી નારદે મેઘનાદ પાસે આવી રૂકમણીના રૂપગુણનુ વર્ણન કર્યુ. રૂકમણીના રૂપમાં દીવાનો અનેલા મેઘનાદ નારદ સાથે રૂકમણી બેઠી હતી ત્યાં આવ્યા: રૂકમિણીત ગાંધવ વિધિથી પરણી પાતાની સાથે તેડી ગયા. રૂકમિણીને અન્ય સ્થાનકે રાખી પ્રતિદ્વિવસ પેાતાને હાથે તેણીને શણગારી તેણીની સાથે સુખ ભોગવવા લાગ્યા ને મેઘવતીને મનથી પણ યાદ કરતા નહિ. પતિ ઘેર ન આવવાથી મેઘવતીએ ચિંતાતુર થઈ ને પેાતાની એક સખીને પાતાના પતિના સમાચાર જાણવાને માકલી. સખીએ મેઘનાદને અન્ય સ્ત્રી સાથે બીજે સ્થાનકે રહી સુખ ભાગવતા જોયા. એ હકીકત મેઘવતીને કહી સ’ભળાવી. મેઘવતી મનમાં આમણુદૂષણ રહેવા લાગી, આ મય નારદજીનુ' પરાક્રમ લાગે છે, માટે નારજીને હાથમાં લીધા વગર પતિનો મેળાપ હવે થશે નહિ.” તેથી મનમાં મેઘવતીએ અમુક ચાજના ઘડી કાઢી. 66 એક દિવસે નારદજી અકસ્માત્ આવી ચડયા. મેઘવતીએ નારદજીની ખૂબ પ્રેમપૂર્વક સ્તુતિ કરી પોતાની ભૂલની માફી માગી. એના વિનય વિગેરેથી નારદજી પ્રસન્ન થયા ને બોલ્યા, ખોલ પુત્રી ! તારૂ શું કામ કરૂ ? ” “ મારા પતિ મને પાછે આપે !” નાર૪જી મેઘવ-તીની વાત સાંભળી ચાલ્યા ગયા. મેઘના પાસે આવી
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy