SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર વિક્રમચરિત્ર યાને કૌટિવિજય કરવા લાગ્યો. “વખત મળશે તે કેઈક દિવસે આવીશ, વળી ! આજે તો કાલી કંદોયણે આપણે મેળાપ કરી આપે. એના જ પ્રતાપથી આપણે સુખ ભોગવી શક્યા. એમ કહી. મંત્રીએ જતાં પહેલાં મંજરીની રજા માગી. હા! એ કાલીને મારા પાયે લાગણ કહેજે, ને મારી વતી બહુ બહુ કરીને એમને બેલાવજો. વહાલા ! જેમ બને તેમ પાછા વહેલા આવજે. તારું હૃદય મારી પાસે મૂકતે જા, ને મારું હૃદય તું લેતે જા; એટલે આપણે ઝટ ભેળાં: થઈ શકીએ !” મદનમંજરીની રજા લઈ મંત્રી બુદ્ધિસાગર પેલી પીછી. ગ્રહણ કરીને પેટી ઉપર બેસી ગયો. છેલ્લી વખતે બન્ને જણ ભેટી પડયાં ને જર હસ્યાં. પ્રેમમાં દીવાના બનેલાં પ્રેમીઓ એમ જ સમજે કે અમારી પાશવ લીલા કેઈ જાણતું નથી, અને કેદની જોવાની તાકાત પણ નથી; છતાં તેમની લીલા એક માણસ તો જેતે જ હતો. તે હકીકત કામમાં અંધ બનેલાં એ બિચારો પ્રાણીઓ ક્યાંથી જાણે? પટી આકાશ માર્ગે ચાલતી કાલીના મકાને આવી. બુદ્ધિસાગર કાલીને નમી, પાણીના પ્રણામ કહીને પિતાને સ્થાનકે ચાલ્યો ગયે. મંત્રીના ગયા પછી કાલીએ રાજાને પેટીમાંથી બહાર કાઢયે, અને કહ્યું કે હે રાજન ! જોયું ને સ્ત્રી ચરિત્ર? ” “અહે! મારી જ રાણીઓની આવી બદચાલ ! ” રાજા ગુસ્સે થઈ ઉપર મુજબ બેલ્યો. “હે રાજન ! એ બાબતમાં ગુસ્સો કરવાથી શું ? સ્ત્રીઓમાં કામવાસના વધુ હોય છે, તેથી કંઈ એવી
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy