SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ વિક્રમચરિત્ર વાન કૌટિલ્યવિજય કાંઈ આપ્યું નહિ, ને પરખાવી દીધું કે, “જે ફરી તું અહીં આવીશ તે તારા બૂરા હાલ થશે.' કમલ પડી ગયેલ એ દિવેલિયા જેવું ડાચું વકાસી પાછો ફર્યો. ધનનું આવાગમન બંધ થવાથી કમલને અતિ પશ્ચાત્તાપ થયે. દુ:ખી દુ:ખી ને દરિદ્ધિ તે થઇ ગયે. તેમ શેઠ તમે પણ મારી વાત નહિ માને તે પછીથી તમને પસ્તાવો થશે.” રત્નમંજરીની શેઠને દષ્ટાંત કહેવા પૂર્વક સમજાવવા માંડયા. અરે, પણ આટલી વયે મને પરણે કેશુ? મને કેણુ કન્યા આપે? ” શેઠના અંતરની પીડા સાંભળી, રત્નમંજરી બેલી, “જુએ શેઠ! તમને પરણવા માટે હું તૈયાર છું. તમે મને પરણીને તમારી પત્ની બનાવો ! મારા કન્યાધમ તજાવ ! હું તમારી એકનિષ્ઠાથી સેવાચાકરી કરી, તમારી ભકિત કરીશ.' રત્નમંજરીની આ રીતે વાત સાંભળી ધન્યશેઠ આશ્ચર્યચકિત થતો બેલ્યો, “બાળા ! આ તું શું બોલે છે? મારા જેવા મોતના મહેમાન-મુસાફરને પરણી તું તારું જીવન શું બરબાદ કરીશ? જરી મારી સામે તે જ ! તારા જેવી રૂપગુણે કરીને શેભતી બાળાઓ તે કેઈસુંદર તરૂણની સાથે જીવન વ્યતીત કરે, એવા સાથે પરણી મેજ કરે, તે જ સારૂં ? તે છતાં મારા જેવાને પરણવાની ઇચ્છા થાય છે. તે કયા સુખની આશાએ?” શેઠે પૂછયું. મારી વાત તમે સમજતા નથી. આ અસાર સંસારમાં મારે તે શીયળ પાળવું છે. એ શીયળ તમને પરણવાથી સુખે સુખે પળેને આટલી વયે મારૂં કન્યાપણાનું આળ પણ મટે.” રત્નમંજરીની સમજાવટ છતાં ઘણીનું મન માનતું ન હોવાથી રત્નમંજરી બોલી, “શેઠ! હજી પણ તક છે. લક્ષ્મી ચાંલ્લે કરવા તમારા આંગણે આવી છે.
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy