SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ વિક્રમચરિત્ર યાને કૌટિવિજ્ય આપે તે રાજા છે અને બધી પ્રજાને પણ સુખ થાય. “ઠીક દેવી ! જારી રાહ જો! હું આવું છું.” અઘટકુમાર મધ્યરાત્રીને સમયે ઝા પિતાને ઘેર આવ્યું. પ્રિયાને જગાડી બધી વાત કહી સંભળાવી. પદ્માવતીએ પણુ રાજાની રક્ષાની ખાતર પતિની વાતને અનુમોદન આપ્યું. બન્ને જણ બાળકને લઈ કુળદેવીની સમક્ષ આવ્યા. અઘટકુમાર બોલ્યા: “કુળદેવી ! રાજાનું રક્ષણ કરજે, ને રાજાની રક્ષાનિમિત્તે આ ભેગ લ્યો. રૂષચંદ્ર બાળકને પકડી રાખ્યો ને પદ્માવતીએ હાથમાં ખડગ ધારણ કરી બાળકને વધેરી દીધો. બાળકને ભેગ આપી બન્ને પતિપત્ની પિતાને મકાને ગયાં. આ ચમત્કારી બનાવ એક પુરૂષ પ્રસન્નપણે જોઈ રહ્યો હતે. આશ્ચર્યથી મસ્તક ધુણાવત અને અઘટકુમારની વફાદારી ઉપર અતિ પ્રસન્ન થયેલે તે પુરૂષ પ્રગટ થઈને પેલી કુળદેવી આગળ બાળકને વધેર્યો હતા ત્યાં આવીને બોલ્યો; “અરે દેવી ! મારી રક્ષા ખાતર આ બાળકને ભાગ લીધે ? એ પુરૂષ તે અઘટ જે રૂદન કરતી સ્ત્રીના સમાચાર લેવા મોકલ્યો હતો, અને એની ચિકિત્સા જેવા આવેલે રાજા વિક્રમ પોતે હતો. રાજા વિક્રમે બાળકની લાશ પાસે ઉભા રહી “જેની રક્ષા માટે આ બાળકે બલિદાન આપ્યું તેના પણ બેગ લે!” એમ કહી પિતાની ગરદન ઉપર તલવાર ઝીકી. “સબૂર!” દેવીએ પ્રગટ થઈ જવાબ આપ્યો. પ્રસન્ન છું! વરદાન માગ !” દેવી ! જે પ્રસન્ન થયાં છે તે આ બાળકને જીવતો કરે!દેવીના વરદાનથી અઘટને નંદન જીવતે થયે. તેને લઈને રાજા પોતાના રંગમહેલમાં આવ્યું, અને અઘટની વફાદારીને વિચાર કરતે નિદ્રાવશ થયે.
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy