SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ 1 - - - - પ્રકરણ ૩૪ મું ૨૮૫ કમલમાલાથી સુસ્વપ્ન સૂચિત બીજો પુત્ર ઉત્પન્ન થયે. રાજાએ તેને જમેન્સવ કરી હંસ ઉપરથી હંસરાજ નામ પાડયું. ધાત્રીઓથી લાલનપાલન કરાતો હસરાજ પણ વૃદ્ધિ પામતો દશ વર્ષને થયે, એ દશ વર્ષના હંસરાજ અને શુકરાજ સાથે એક દિવસે રાજા સભાસ્થાનમાં બેઠે હતો ત્યારે કમલમાલાના પિતા ગાંગિલ કષિ રાજાની આજ્ઞા મેળવીને રાજસભામાં આવ્યા. રાજાએ ઋષિને માન આપી તેમના અકસ્માત આગમનનું કારણ પૂછયું, પટ્ટરાણુ કનકમાલાને પિતાના આગમનની ખબર પડતાં તરતજ સભામાં આવીને પિતાના ચરણમાં તેણુએ પ્રણામ કર્યા: પિતાને કુશળ સમાચાર પૂછ્યા, રાજન ! મારા આગમનનું કારણ સાંભળે. આજે સ્વપ્નામાં ગેમુખ નામે યક્ષરાજે મને કહ્યું કે, હું શ્રી વિમલાચલ ઉપર મુખ્ય જીનેશ્વર યુગાદીશને નમવાને જાઉં છું, ને તમે પણ ત્યાં ચાલે ! ગેમુખ યક્ષરાજનાં વચન સાંભળી મેં કહ્યું કે, તમે ને અમે બધા ત્યાં જઈશું તો અહીંયાં આ મંદિર અને આશ્રમની રક્ષા કેણ કરશે?” તમારા દૌહિત્ર શુકરાજ અને હંસરાજ રામ અને લક્ષ્મણ જેવા તેમજ ભીમ અને અર્જુન જેવા પરાક્રમી છે; તેમાંથી એક પુત્રને અહીંની રક્ષા માટે સ્થાપી તમે આવો! યક્ષના વચનથી હું તમારી પાસે આવ્યું ને તે યક્ષ પણ મને અહીં મૂકીને તીર્થને નમવાને આગળ ચાલે ગયે. તેના પ્રભાવથી એક ક્ષણ માત્રમાં હું તમારા નગરમાં આવ્યું. ” ત્રષિરાજના વચન સાંભળી રાજાએ પિતાના પુત્રોના. તરફ જોયું કે તરતજ હંસ ઉઠી પિતાને પ્રણામ કરીને બોલે, “તાત! મને આજ્ઞા આપે કે જેથી હું એ તીર્થની
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy