SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૩ મું ૨૭૯ થયાં નહિ, ત્યારે માતાએ સ્નેહથી પુત્રીને પેટીમાં નાખીને ગંગાના પ્રવાહમાં પિટી તરતી મુકી દીધી; તે પેટી ગંગાના પ્રવાહમાંથી અનુક્રમે સમુદ્રમાં આવેલી તમારી નજરે પડી; તમે બંને મિત્રએ તે પેટી ઉઘાડી ને આ કન્યાને તમે બનેએ મૂચ્છિત સ્થિતિમાં જોઈ “હવે તારી માતાની હકીકત સાંભળ સૈન્ય સહિત બીજા બલવાન ભીલ નૃપતિને લઇને આવેલા સેમણે સૂરકાંત રાજાને ઘેર્યો, સોમ લશ્કરને લઇને નગરના દરવાજા ભાંગી નગરમાં પેઠે સૂરકાંત રાજા સામે લડવા આવ્યું યુદ્ધ કરતાં સમશેઠના કપાળમાં ભાલો લાગવાથી તે ત્યાં મૃત્યુ પામી ગયો, પણ સૈન્યને મારાથી પોતાના સૈન્યને નાશ પામેલું જાણી સુરકાંત રાજ પણ ક્યાંક નાસી ગયે. ભીલ રાજાનું સૈન્ય નગરને લુંટવા લાગ્યું. નગરને લુંટતાં એક ભીલે રાજમહેલમાંથી સામગ્રીને પકડી લીધી ને તેણીને લઈને ત્યાંથી ચાલ્યા ગયે, ભીલની સાથે રહેલી સમશ્રી રાત્રીના સમયે ભીલને છેતરી ભીલ પાસેથી નાઠી. વનમાં ભમતાં, અનેક વૃક્ષનાં ફળને તે ખાતી હતી. એ ફળના પ્રભાવથી અના શરીરના ઘાટ અને સ્વરૂપમાં ફેરફાર થઈ ગયા. વનમાં ભમતી એ સમશ્રીને એક દિવસે ધનસાર્થવાહે જોઈ તેણુને પોતાની સાથે તેડી ગયું. તે સાર્થવાહે સ્વર્ણ કળ નગરમાં આવી ચાર રસ્તા ઉપર ઉભા રહી સેમશ્રીને સ્વણરેખા નામ ઘારણ કરવી વેચવાને ઉભી રાખી; તેને એક વેશ્યાએ લાખ ટકા આપીને ખરીદ કરી; અનેક કળા, કૌશલ્ય, નૃત્ય વિગેરે શીખવીને હોશિયાર કરીને રાજાની માનિતી કરી. રાજાએ એના રૂપ, ગુણથી પ્રસન્ન થઈ એને નગરનાયિકા બનાવી, પોતાની ખાસ ચામરધારિણીની પદવીથી વિભૂષિત કરી. તેજ આ સ્વર્ણ
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy