SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય “હે રાજન! તારી નગરીને રૂંધીને ચંદ્રશેખર રજા પડેલે છે; તારા સુભટે એની સાથે લડે છે પણ તેઓ ફાવતા નથી. અત્યારે નગરીમાં પ્રવેશ કરવો એ મુકેલી ભરી વાત છે, » વાણી સાંભળી રાજા ચિંતાતુર થયે, રાજાને ચિંતાતુર હાલતમાં છોડી પેલો શુક નગરીમાં ચાલ્યા ગયે. ડીવારે રાજસેવકે જય જય શબ્દ કરતા રાજાની પાસે આવી પહોંચ્યા. રાજા પોતાના પરિવારને જોઈ આશ્ચર્ય પામ્યો, “તમે અહીંયાં શી રીતે આવ્યા?” ખબર નથી કે તમને અહીં કેણુ લાગ્યું ! અમે અહીં આવ્યા ને અકસ્માત વિધુતપાતની માફક આપને અમોએ જોયા.” રાજસેવકે, મંત્રીઓ અને સેનાધિપતિસૌ કેઈ આશ્ચર્ય પામતાં આવું દશ્ય જોઈ બોલ્યા, નવીન પ્રિયા સહિત પોતાના પતિને જોઈ રાજસિનીકે, મંત્રીઓ, સેનાધિપતિઓ વિગેરે રાજા પાસે આવી પહોંચ્યા, વાજા વાગવા લાગ્યાં. રાજા આડંબરપૂર્વક નગર તરફ આવવા લાગ્યા. રાજાને આવેલા જાણું ચંદ્રશેખર મૂઢ બનેલે વિચારમાં પડી ગયો. ત્યાં મંત્રીએ આવીને ચંદ્રશેખરને સાવધ કર્યો. “રાજન ! પ્રાણરક્ષા માટે કોઈ ઉપાય હશે? અન્યથી સંપૂર્ણ બળવાળે આ રાજા તમને મારી નાખશે. મંત્રીની વાણુથી ચંદ્રશેખર અધિક ગભરાયો અને બોલ્યા, “શું કરવું ? નાસી જાઉં? કાંઈક રસ્તે બતાવ ?” ચંદ્રશેખરના કહેવાથી મંત્રીએ એક યુક્તિ બતાવી. તે ચંદ્રશેખરને પસંદ પડી ગઈ ચંદ્રશેખર પિતાના અલ્પ પરિવાર સાથે રાજાની સામે આવી રાજાને નમે, “હે મહારાજ! લોકવાયકાથી આપને ફરવા ગયેલા જાણી નગરીનું રક્ષણ કરવા માટે હું
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy