SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. લણ પિોકાર કરતી, ઘૂવડે નિઃશંકપણે અવાજ કરતા, કાગડા આકાશમાં કેલાહલ મચાવતા,કબરીઓ પૃથ્વીપર કલકલાટ કરતી, કૂતરાઓ રાડો પાડતા અને બિલાડા લઈ રહ્યા હતા. એમ વિસ્મયપૂર્વક જોતાં તેણે નગરીના મુખ્ય દ્વારમાં પ્રવેશ કર્યો. એટલે જેમ બહાર તેમ અંદર પણ નગરીની તેવીજ દુર્દશા તેના જોવામાં આવી, જાણે રસ્તામાં અંગારા પાથર્યા હોય તેમ કેઈ નગરજન રસ્તે ચાલતે નહિ અને મેક્ષમાંના સિદ્ધની જેમ જે જ્યાં તે ત્યાંજ ક્રિયારહિત થઈ બેઠા હતા. વેપારીઓ તૈયાર થઈ બજારમાં બેસતા નહિ, દેવમંદિરમાં પૂજા થતી નહિ, પાઠશાળાઓમાં પાઠ બંધ થયા અને બાળકો પણ રમતા નહિ. એમ ચોતરફ શુન્ય જેવી તે નગરી જેઈ, આમતેમ ભમતાં તે રાજભવન આગળ ગયે. ત્યાં દ્વાર૫ર આરક્ષકને જોતાં તેણે પૂછ્યું કે–અહીં લકે બધા શેક. શલ્યથી વ્યાકુળ કેમ દેખાય છે?” ત્યારે તે બહુજ મંદાશ્રેરે છે કે હે પાંથ! મને શું પૂછે છે? નિર્દય દૈવને પૂછ. તે પણ કહે.” એમ અજાપુત્રે આગ્રહથી પૂછતાં તે બેલ્ય કે—જે તારે એ આગ્રહ છે, તે સાંભળી અને દુઃખને ભાગીદાર થા–એકદા અમારા દુર્જય નામના રાજાને શિકાર કરવા અરણ્યમાં જતાં ત્રણ પહોર થઈ ગયા. ત્યાં તૃષાથી પીડાતાં તે તરફ વૃક્ષઘટાથી ગહન એવા વનમાં ભમવા લાગ્યો, ત્યાં કોઈ સ્થળે એક મેટું સરોવર તેના જેવામાં આવ્યું, અને જેટલામાં અન્ય કોઈ આવે, તેટલામાં તે અશ્વથકી ઉતરી, તૃષ્ણાકૃત રાજાએ પિતે ત્યાં જઈને પાણી પીધું. તે પાણી પીતાં તરતજ રાજા વાઘ બની ગયો. પાછળ દેવ આવતા લોકોએ તેને પાણી પીને અને વાઘ થતે જે. જેમ સાધ્વીઓને આશ્ચર્ય બતાવવા વિદ્યાશક્તિથી સ્થલીભદ્ર પતે તરત વાઘ બની બેઠા, તેમ એ રાજા પાણીથી વાઘ બન્યા. “અરે! અનિષ્ટ થયું, રે અનિષ્ટ થયું? એમ બોલતા
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy