SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 'અજાપુત્રની કથા. અ, નષ્ટ થયો” એમ બેલતા તેઓ જેટલામાં રૂદન કરે છે, તેટલામાં બે ફળ લઈને તે બહાર આવે એટલે તેની પ્રશંસા કરતાં તેઓ કહેવા લાગ્યા કે--સાત્વિક શિરેમણિ! હે નિષ્કારણ વત્સલ! તું જય પામ અને અમારા કુટુંબના પુણ્ય લાંબે કાળ જીવતે રહે. જેનું મન પરાર્થ સાધવામાં સદા રમે છે, તેજ પુરૂષ છે. જેની પ્રિય વાણુ પરને માટે સદા વપરાય છે, તેજ પંડિત છે. ક્રિયાથી જે પરનું કામ સાધી આપે, તે પ્રશંસનીય અને સ્વીકારેલ વચનને જે બરાબર પાળે, તે સજજનેને સદા વંદનીય થાય છે.” એમ આશીર્વાદ આપતા તેમને તેણે બે ફળ આપ્યાં, જે લેતાં અજપુત્રની સ્તુતિ કરી, તેમણે પૂછ્યું કે–“હે સજન! બળ્યા વિના ગર્જાથકી તે બહાર કેમ આવ્યું?” તે બોલ્ય- તેમાં રહેલ દેવતાએ મને મદદ કરી. મારા સાહસથી સંતુષ્ટ થયેલ તેણે મને આ બે ફળ આપ્યાં અને બળી રહેલ ગ7થકી પિતે લાવીને મને બહાર મૂકો.”એમ સાંભળી તેમણે કહ્યું કે–“તુંજ એક દુનીયામાં સાત્વિક છે કે પરના કાર્યોમાં પ્રાણ તજવા તૈયાર થયા, અમે તે સ્વિકાર્યમાં પણ કાયર છીએ, તે એક ફળ તું ગ્રહણ કર. એ કેહવાર કામ લાગશે. હે મહાભાગ! અમારા બાળકને રેગ તે એક ફળથી નાશ પામશે.” એમ કહી તે ફળ અજાપુત્રને આપી, ઈષ્ટાર્થ–પ્રાપ્તિથી સંતુષ્ટ થયેલા તેઓ પિતાની નગરી પ્રત્યે ચાલ્યા. અજાપુત્ર પણ તેમનું કામ કરી આપવાથી સંતેષ પામતાં ફળ લઈ એક નગરી ભણું ચાલ્યા. એવામાં પુત્રે જેમ પિતાને જુએ, તેમ ફલિત વૃક્ષવડે મનહર એક સરેવર રસ્તામાં જોઈ, યાચક દાતારને જેતાં હર્ષ પામે, તેમ તે ભારે પ્રભેદ પામ્યું. પછી તેની પાળ પર ચડી, માર્ગના અસહ્ય શ્રમથી આકુળ થયેલ તે પછેડમાં ફળ બાંધી મકીને પાણીમાં પડયે, અને દુઃખા જેમ ધર્મોપદેશ સાંભળે, તેમ પ્રથમ તેણે પાણી પીવું. પછી વ્રતની જેમ તે સ્નાન કરવા
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy