SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ દયા ઉપર મંત્રિદાસની કથા. દયા ઉપર મંત્રિદાસીની કથા. Iની એ લાપુરમાં રિપુમર્દન નામે રાજા કે જેના દાનરૂપ પદ્યમાં રાજ્યલક્ષ્મી અને યશ-હંસ સદા રમતા. પી તે રાજાને કામલેખા નામે પુત્રી તથા તેના શ્રેષ્ઠ મંત્રીને અચલા નામે સુતા છે. બાલ્યવયથી જ તેમને સ્નેહ એકાત્મરૂપ હતું. તે બંને સાથે જમતી અને સાથે સુતી. એકદા તે બંને સેગઠાબાજી રમતી, તેવામાં અચલાના ઉત્સંગમાં આકાશથકી કંકણ પડયું. કામલેખાએ ઉઠીને તેના ખોળામાંથી તે લઈ લીધું તે જોઈ તેમની પાસે બેઠેલ નૈમિત્તિક હસવા લાગ્યું. ત્યારે રાજસુતાએ હસવાનું કારણ પૂછતાં, તે બલ્ય કે–એ કંકણુને પહેરતાં તું દાસી થઈશ.” રાજાની પુત્રીએ કહ્યું ત્યારે એ કંકણ કણ પહેરશે?” ત્યારે દેવસે તેણીના કાનમાં કહ્યું કે– * આ મંત્રિસુતાની દાસી. ” એમ તેના વચનના વિશ્વાસે રાજસુતાને ભારે ચિંતા થઈ પી. તેણે કીડા તજી, ભારે શચ કરવા માંડે–અરે ! મને ધિક્કાર છે કે રાજપુત્રી એવું નામ ધરાવી, પિતાના દુષ્કર્મના પરિણામે દાસી થઈશ. અહો ! આ સંસારમાં પણ કેટલી અસારતા કે જ્યાં દુષ્ટાત્માઓ વારંવાર દુઃખાગ્નિવડે પાયા કરે છે. અથવા તો લલાટપર દુરક્ષર લખનાર હે દુષ્કર્મ ! તું આજ્ઞારૂપ શિલાને શિરપર ધરે છે. જે તેના પ્રમાણવશે પ્રાણી અનિષ્ટ પામે છે, તે અસારતામાં કૃતકારિતપણાને દેષ કયાં છે?” એમ ચિંતાતુર થયેલ રાજપુત્રીને, કારણ સમજી મંત્રિસુતાએ કહ્યું- હે સખી! તું શેક ન કર, મારૂં વચન સાંભળ-એ દાસીને જ એના દેશે હું હણશ. તે પછી તું એ દાસીની દાસી શી રીતે થઈશ?” એમ કામલેખાને સમજાવી, અચલા દાસીસહિત પિતાના સ્થાને જતાં તે વિચારવા
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy