SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. બાણ છે, તે તેને લોભ પમાડવા દેવાંગના એકલું.” એમ ધારી તેણે પાસે બેઠેલ મેનકાને આદરથી કહ્યું કે–વિશ્વામિત્ર મુનિને ભ પમાડવા તું સમર્થ છે.” ત્યારે મેનકા અવજ્ઞાપૂર્વક બેલી કે—હે સ્વામિન્ ! એ મારી આગળ શું માત્ર છે? મારા કટાક્ષપાતથી કોણ કામાતુર ન થાય? માટે તેને ક્ષોભ પમાડનાર રૂપ લઈ તરતજ તેની તપગ્રંથિ ખેલી ધ્યાનરૂપ ધન છીનવી લઈશ.” એમ કહેતાં તેસ્વર્ગથકી ભૂમિ પર કે જ્યાં તે મુનિ હતું, ત્યાં આવી, લાભ પમાડવાને આડંબર કરવા લાગી. તેણના તત્વઘાતક વચનને મુનિના કાનમાં પેસી, મન અને ઇન્દ્રિયોને વશ કરીને તેને સંયમનિધિ મૂકાવ્યો. એટલે હળવે હળવે ઉછુંખલ થતાં ઇન્દ્રિયો દુરાગ્રહથી પોતપોતાનો વિષય ગ્રહણ કરવામાં ઉત્સુક થવા લાગી. દષ્ટિને રૂપમાં, કાનને ગીતમાં, નાસિકાને સુગંધમાં, જીભને રસમાં અને અંગને સ્પર્શ સુખમાં એમ વારંવાર તે મુનિને તાલાવેલી જાગી. જેથી તેના રૂપાદિકથી પ્રહર્ષ પામેલ, આત્મા–ધ્યાનતજી, આસક્તિથી તેના પ્રત્યે મન જતાં તેણે જીભને બોલવાને આદેશ કર્યો. એટલે અમૃતસમાન વાણુથી મેનકાને મનાવી, મુનીએ તેની સાથે રતિવિલાસ કર્યો, અને પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ થતાં અનુક્રમે મેનકાને ગર્ભ રહ્યો અને તેણે સુખેએ શકુંતલાને જન્મ આપ્યો. એટલે જન્મ પામતાંજ એને તજીને મેનકા સ્વર્ગમાં ચાલી ગઈ, પણ કંઠ કુલપતિને એ પ્રાપ્ત થતાં તેણે પુત્રીની જેમ એને ઉછેરી મેટી કરી, જેથી એ માનેલ પુત્રી, મુનિને અતિવલ્લભ છે. કારણ કે મુનીઓને તો તિર્યંચો પણ રક્ષણીય હેય, તો સ્ત્રીનું તો કહેવું જ શું?” એમ બોલી,તે વિરામ પામતાં, રાજાને શકુંતલાને વંશ જાણવામાં આવતાં, તેને પરણવા ચોગ્ય સમજીને રાજાએ પ્રેમથી જોયું. એટલે પરસ્પર દષ્ટિમેલાપ અને મામીલન થતાં, ઉત્પન્ન થયેલ પ્રેમરૂપ વિપ્રે તેમને હસ્તમેલાપ કરાવી દીધું. ત્યાં કેટલેક વખત પ્રેમરમ્ય વિષયસુખ લેગ
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy