SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ શકુંતલાની કથા. ૨૧૧ એમ સાંભળતાં રાજા બે –તેમાં એના પતિને અપરાધ નથી, પણ તેની વિસ્મૃતિ એજ એના અપરાધરૂપ છે. તે એની નિશાનીનાં વચને તથા અલંકારેવડે તેને થયેલ વિસ્મરણ દૂર કરી, સ્મરણ કરાવવાનું છે. તેને સમરણ થાય અને તત્ત્વ જાણવામાં આવ્યા છતાં જે એને તે માન્ય ન કરે, તે દુષ્ટ કર્મનું કારણું, પણ તે સપુરૂષને દેષ નહિ. કોઈ કારણે સ્વાર્થની વિસ્મૃતિ થઈ હશે, કારણ કે શ્રાપના ગે દુષ્યત રાજાએ શકુંતલાને વિસારી મૂકી હતી.” કામલેખા બેલી એ કથા અમને વિસ્તારથી કહે, કે જેથી મારી સખીને પણ કંઈક વિનેદ થાય.” રાજા –જે તને કેતુક હોય તે સાવધાન થઈને સાંભળ શકુંતલાની કથા. આ ભરતક્ષેત્રમાં સાકેત નામે નગર છે, કે જ્યાં ભારતીની સ્પર્ધાથી લક્ષમી પ્રતિગૃહે પ્રગટ છે. વળી બ્રાહ્મી જેને સગુણ બનાવે છે, તેને લક્ષમી આલિંગન દે છે. ત્યાં દરેક સામંતના પ્રણામ વડે ઉન્નત, પરાક્રમી અને શત્રુલહમીના નિવાસગૃહરૂપાએ દુષ્યત નામે રાજા હતે. લક્ષ–સન્યને જીતે તેવા અભ્યાસે અંગની દઢતાથી ક્ષુધાતૃષાને જય કરનાર તે રાજા એકદા રથારૂઢ થઈને શિકાર કરવા ચાલ્યા. પ્રતાપવડે આદિત્ય સમાન રથારૂઢ થઈને જતાં તેણે તાપસેના આશ્રમ પાસે એક મૃગ જે. એટલે ઇષ્ટ વાયરે સાગરમાં નાવની જેમ તેની પાછળ અશ્વ છેડતાં, દૂર થકી રથ તેની નજીક પહોંચ્યા. ત્યાં રથને અવાજ સાંભળતાં મૃગે સંજમથી જોયું અને ચાવેલા ઘાસને અધવચ તજ, તે જીવ લઈને ભાગે. પછી “હું અને રથાક્યોમાં કેણ વધારે વેગશાળી છે?” એમ જાણે જેવાને જ મૃગ આગળ આગળ દેડતે ગયે. “અરે ! આ એક મૃગની કેટલી ગતિ ?” એમ ધારી તે બંને રથા એકદમ મૃગ પાછળ દોડવા લાગ્યા. એટલે તે મૃગ પણ પગને જાણે
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy