SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ~ આરામનંદનની કથા. ~-~અમારા વાણોતર લોકોએ “તે રત્નયુક્ત છે ” એમ ન જાણતાં તે છાણાં લીધાં, અને તેની ભસ્મ થતાં તે પણ દરીયાના પાણીમાં નાખી દીધી. એટલે કૃપણના ઘરે જેમ ભેજન ન વધે, તેમ તેમને એક છાણું પણ વધ્યું નથી. વળી તે આરામસુત ! અમારી બધી ઘરવખરી કે સંપત્તિ વેચતાં પણ તારા એક રત્નનું મૂલ્ય ન થાય; તથા પત્રકના અક્ષરે જોતાં અમે તે ચિંતામાં પડ્યા. તમને જણાવ્યા વિના તે અમે કરીયાણુ ઘરે લઈ ન શકીએ. વળી અમે તે રત્નની વાત કંઈ પણ જાણતા હેઈએ, તે તમે કહે તેવા સોગંદ કરીએ.” ત્યારે છાણાના વૃત્તાંતને જાણતે અલુબ્ધ અને કંચુકીની પીડાથી આકાંક્ષા રહિત એ આરામન દન જરા હસીને બે કે-“અરે! તમે આવા મેટા શ્રીમંત થઈને આમ દીન કેમ બોલી રહ્યા છે? રત્ન કરતાં પણ તમે મને અધિક પ્રિય છે માટે બીતા નહિ, જે કદિ એ રત્ન આપવામાં તમે અસમર્થ હે, તે આ પત્રક હું ફાળ નાખું.” એમ કહી પત્રક ફાધને તેણે તેમને નિર્ભય કર્યા. કારણ કે બીજાને સતાવીને પિતને સમૃદ્ધ બનાવનાર મહાન પણ તજવા લાયક સમજ. સંક્રાંતિના અભાવે અધિક માસ બધા કામમાં વર્જનીય ગણાય છે. પછી તેમને વસ્ત્ર, તાંબૂલ આપતાં ઉલટે પોતે આદર કરીને વિસર્જન કરતાં તેણે કહ્યું કે–“તમે સમુદ્રતીરે જઈ, કરીયાણાં લઈ ” એમ સાંભળતાં તેઓ સંતુષ્ટ થતા કહેવા લાગ્યા કે— “અહો ! સ્વભાવથી કૃપાલુ એણે એક લીલા માત્રમાં આપણે અપરાધ તથા આપણા કુટુંબના દ્રવ્યને ઘસારે સહન કર્યો. એ રીતે આરામનંદનની સ્તુતિ કરતાં તેમણે વણિક પુત્ર પાસે કરીયાણાં પોતાને ઘેર અણુવ્યાં. એકદા સાગરશેઠે ભાગ્યશાળી આરામનંદનને કહ્યું કે... -
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy