SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સાત્ત્વિકપણા ઉપર વજાયુધની કથા. બે કે–આજે સ્વર્ગ અને પાતાલ કરતાં પણ પૃથ્વી શ્રેષ્ઠ છે, કે જે સાત્વિકનું સ્થાન છે અને સાત્વિકમાં બધા ગુણ હોય છે. જેવું સત્વ મનુષ્યમાં અખલિત છે, તેવું દેવ, દૈત્ય, વ્યંતર કે તિષીઓમાં પણ નથી. તેમાં પણ જૂનાયિક્તા તે હેય જ છે, છતાં આજે વાયુધમાં જે સત્વ ચકળતું છે, તેવું અન્યત્ર નથી. વ્રજરેખા સમાન તેનું સત્વ, અનિવાર્ય પરાક્રમવાળા દેવે પણ અન્યથા કરવાને સમર્થ નથી. ત્યાં એ પ્રશંસાને સહન નકરો કે દેવ વાયુધથી પિતાને ન્યૂન ધારી કે પાયમાન થઈ, વિચારવા લાગ્યા કે –“દેવે આગળ મનુષ્ય પ્રશંસા પામે એ જ હાંસી જેવું છે. અહો ! પ્રભુતાને ધિક્કાર છે કે જ્યાં વિચાર જ નથી. એજ ખેદની વાત છે. હું વસુધાને છત્ર અને મેરૂને દંડ બનાવું–તે એને સત્વથકી હમણા જ ચલાયમાન કરૂં.' એવા ગર્વ અને કેપથી ઈંદ્રને જોતાં, સભામાં દષ્ટિ ફેંકતાં, અને દેવાંગનાઓને ભ પમાડતાં તે સભાથી બહાર નીકળી ગયું. પછી એક મિત્ર સાથે ચાલતાં તે બે કે –“પ્રથમ એ પુરૂષના શયની પરીક્ષા કરવી. દેવગે તેમાં સલામત પાર ઉતરતાં, તે વખતસર સત્ત્વમાં શિથિલ થશે, એમ બેવાર પરીક્ષા કરતાં શું કે સલામત પાર ઉતરી શકે?” એમ મિત્ર સાથે નિશ્ચય કરી, તે પૃથ્વીતળે ઉતર્યો અને વાયુધની પરીક્ષાને અવસર જેવા લાગે. તેવામાં યુદ્ધમાં નિશ્ચળ એવા વાયુધ કમારને ઉદ્યાનપાલકે અંજલિ જેને નિવેદન કર્યું કે હે દેવ! ત્રણ જગતને જય કરવામાં મન્મથને મદદ કરનાર મિત્ર અને માનિનીઓના માનભંગમાં અધિકારી એ વસંત સમય આવી લાગ્યો છે. અત્યારે યુવાનો કામિનીઓ સાથે ઉદ્યાનમાં ક્રીડા કરી રહ્યા છે અને મધુર ગીત ગાનમાં મન લગાવી રહ્યા છે. માટે તે જોવાના કૌતુકે, જે કે પિતાને ફળવડે ફલિત છતાં આરામ-અગીચાને આપ સફલ કરે.” એમ
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy