SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ જૈન દર્શનને કર્મવાદ રસબંધ થતું નથી. કારણકે અશુભ કર્મ પ્રકૃતિઓના એક સ્થાનિક સબંધને યોગ્ય અધ્યવસાયને સંભવ તે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી જ હોય છે. અને તે તે સમયે ઉપરોક્ત સત્તર પ્રકૃતિએ સિવાય બાકીની અશુભ પ્રકૃતિઓના બંધહેતુઓને જ વિચ્છેદ વતે છે. બંધ હેતુઓના અભાવે તે પ્રકૃતિઓના બંધને જ અભાવ હોય, પછી રસબંધ શામાં પડે? એટલે તે પ્રકૃતિ એના બંધ હેતુઓનું જ્યાં સુધી હોવાપણું હોય ત્યાં સુધીમાં તે પ્રકૃતિઓના એકસ્થાનિક રસબંધને વેગ્ય અધ્યવસાયે જે હેતા નથી. પણ દ્રિસ્થાનિક, ત્રિસ્થાનિક કે ચતુ સ્થાનિક રસબંધને એગ્ય જ અધ્યવસાયે હોય છે. તથા કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીય, એ બે પ્રકૃતિઓ અનિવૃતિ બાદર સંપરાય ગુણસ્થાનક પછી પણ બંધાય છે. પરંતુ આ બન્ને પ્રકૃતિએ સર્વઘાતી હેવાથી ઓછામાં ઓછા પણ દ્રિસ્થાનિક રસેજ બંધાય છે, પરંતુ એક સ્થાનિક રસે બંધાતી નથી. રસ બંધમાં કારણભૂત કાષાયિક અધ્યવસાયે શુભ અને અશુભ એમ બે પ્રકારે છે. તેમાં કષાયની હીનતાથી વર્તતા અધ્યવસાયને શુભ અધ્યવસાય કહેવાય છે. અહીં અધ્યવસાયમાં શુભાશુભપણું અપેક્ષાપૂર્વક કહેવામાં આવ્યું છે. જે પ્રકારના કષાયના ઉદયે વર્તતા જે અધ્યવસાયે એક સમયે અશુભ કહેવાય છે, તેજ અધ્યવસાયે
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy