SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ જૈન દર્શનને કર્મવાદ પ્રમાણમાં દરેક ને હેય છે. પરંતુ શાતા વેદનીયનું પ્રમાણ, દેવ અને મનુષ્યગતિમાં વિશેષ હોય. અને અશાતા વેદનીયનું પ્રમાણ, નારક અને તિર્યંચગતિમાં વિશેષ હોય છે. અહીં સમજવું જરૂરી છે કે વેદનીય કર્મવડે સુખ અને દુઃખનાં કારણે પ્રાપ્ત થાય છે. અને તે દ્વારા શાતા -અશાતા અનુભવાય છે. પણ સુખના કારણેમાં પ્રીતિ અને દુઃખના કારણેમાં અપ્રીતિ થવી તે વેદનીય કર્મનું ફળ નથી. પ્રીતિ-અપ્રીતિ થવી તે મેહનીયકર્મને વ્યાપાર સમજ. આ વેદનીયકર્મ આત્માના અક્ષયસુખ ગુણનું આવરણ કરનાર છે. આત્માને વિષય નિરપેક્ષ સ્વરૂપસુખને અનુભવ તે કોઈપણ કર્મના ઉદય વિના જ સ્વતઃ થાય છે. એવા પ્રકારનું વિશુદ્ધ સુખ જ આત્માને સ્વધર્મ છે. મેહનીય કર્મ - રાજ્ય, ધન, કુટુંબ ઈત્યાદિ ભૌતિક સામગ્રીઓમાં આત્માને મુંઝવનાર-લલચાવનાર કર્મનું નામ મોહનીય આ કર્મની શાસ્ત્રકારોએ મદિરા સાથે તુલના કરી છે. મદિરા પીધેલ મનુષ્ય, કેફના આવેશમાં જેમ માતાને સ્ત્રી તરીકે અને સ્ત્રીને માતા તરીકે પણ ગણવામાં પ્રવૃત્ત થાય છે, અનેક અનાચારેનું સેવન કરે છે, તેમ મોહનીય કર્મથી પરવશ થયેલે પ્રાણી રાગમાં અંધ થઈ વિવેક
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy