SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જૈન દર્શનને કર્મવાદ રેકાઈ જાય છે. આત્માને જેટલાં જેટલી ઇન્દ્રિયોની અનુકુળતા, તેટલે તેટલે અંશે દર્શનગુણને ક્ષયોપશમ વિશેષપણે વર્તે છે. પરંતુ ઈન્દ્રિયોની અનુકુળતામાંય નિદ્રાને ઉદય તે ક્ષયોપશમને બાધિત કરનાર થાય છે. નિંદ્રાને પ્રાપ્ત મનુષ્યોની પાસે બેસી સ્પર્શ કરવા છતાં પણ “મને કેણ સ્પર્શ કરે છે” તેની તેને સમજ પણ પડતી નથી. આ ટાઈમે તેને પ્રાપ્ત ચક્ષુ-અચક્ષુ દર્શનની લબ્ધિને નિદ્રા દ્વારા ઘાત થઈ રહ્યો છે. જેથી નિંદ્રા પણ દશનાવરણીય કર્મને જ ઉદય છે. નિદ્રા તે તમામ પ્રાણિઓને એક સરખી નહીં હોવાથી જગતના તમામ પ્રાણિઓની તમામ પ્રકારની નિદ્રાને સ્કૂલ રૂપે પાંચ પ્રકારમાં સંક્ષેપી લેવામાં આવી છે. અને એ પાંચ નિંદ્રારૂપે ભગવાતા કર્મને દર્શનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિરૂપે જુદું બતાવ્યું છે. એટલે બધા મળીને દર્શનવરણીય કર્મને નવ ભેદ છે. નિદ્રાવસ્થાને પ્રાપ્ત પ્રાણિ, કંઈ અચેતન નથી બની જતો. કારણ કે ગમે તેટલે દર્શનાવરણીય કર્મને ઉદય હેય તે પણ આત્માને દર્શનગુણ બિલકુલ તે અવરાઈ જતે જ નથી. અતિ અસ્પષ્ટપણે પણ સામાન્ય બોધ તે વતે જ છે. પરંતુ જાગૃત અવસ્થા કરતાં નિંદ્રાવસ્થામાં આત્માની ચેતના બહુ જ મંદપણે વતે છે. દર્શન પણ એક રીતે તે જ્ઞાનની જ અવસ્થા હોવાથી
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy