SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૩ આરામથી જ.” માનસિક શક્તિ મગજ ઉપર આધાર રાખે છે અને મગજતું પાષણ કરવા માટે ખારાકની જરૂર નથી એ આ ઉપરથી સમજી શકાય છે. જ્યારે મનુષ્ય માનસિક ચિંતાથા કે રાગ-દ્વેષાદિ વિકારેથી ધેરાયલા હાય છે ત્યારે તેની ભૂખ સૌથી પહેલાં નષ્ટ થાય છે, તેમજ શરીરમાં કાંઇ રાગ–વિકાર થાય છે ત્યારે પણ ભૂખ મરી જાય છે. ભૂખનેા નાશ એ રાગ કે વિકારનું ચિહ્ન છે એમ સમજવાનું નથી, પણ મનુષ્યની પ્રકૃતિનું બંધારણ એવુ છે કે રેગ કે વિકારને મીટાવવા માટેજ તે ભૂખનેા નાશ કિંવા ઉપવાસ એક ઉપચાર રૂપે નિર્માણ થયેલા છે. આ જ કારણથી આય વૈદ્યકશાસ્ત્રમાં પણ સ્પષ્ટ રીતે કહેલું છે કે શરીર, મન અને આત્માની શુદ્ધિ કરનારૂં ઉપવાસ રૂપી તપ એક મોટું દિવ્યૌષધ છે. જૈન શાસ્ત્રમાં ઉપવાસ અનશન તપના એ મુખ્ય પ્રકાર કહેલા છેઃ એક પ્રકાર સ્વલ્પ સમયના અનશનને અને બીજો જીવનપર્યંતના અનશનનેા. આ બેઉ પ્રકારના ઉપભેદો અનેક છે. સામાન્ય ઉપવાસ ગમે તેટલી સંખ્યાન! હેાય તે સ્વલ્પ સમયના ભેદમાં ગણાય અને જીવનપર્યંતનું અનશન તે સથા અથવા સસ્તારક ગણાય છે. મનને ગ્લાન થવા દીધા વિના, શુભ બુદ્ધિથી, કમખ ધને તેાડવાના ઉત્સાહપૂર્ણાંક જીવનપર્યંતનું અનશન આદરવું તે ઉલ્લાસપૂર્વક મૃત્યુને આદરવાનું કાર્ય છે. આ મનની પરમ ઉચ્ચ દશા છે અને તેથી તે તપના અંતીમ ભેદ ગણાયલા છે. ઊણાદરી તપના મુખ્ય બે પ્રકાર છે : દ્રવ્ય ઊણેાંદરી અને ભાવ ઊણાદરી. દ્રવ્ય ઊણાદરી એટલે ખારાકમાં, વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણામાં ઘટાડે કરતા જવુ' તે; અને ભાવ ઊણાદરી એટલે ક્રોધાદિ કષાયામાં ઉપયાગપૂર્ણાંક ઘટાડા કરતા રહેવું તે. ‘ ઊણોદરી 'તે શબ્દા એવા છે કે પેટને ઊભું રાખવું તે. ' ભૂખ કરતાં ઓછું ખાવું, જરૂર કરતાં ઓછાં વસ્ત્રો રાવાં, આછાં પાત્રાથી અને બીજા ઉપકરણોથી ચલાવી લેવું એ તપ છે કારણકે તેની સીધી અસર ઈંદ્રિયાની સયમત્તિ ઉપર થાય છે. ગ્રંથકાર કહે છે કે જો ઉપવાસ કરવાની શક્તિ ન હેાય તે તે ઊણોદરી તપ કરવું એટલે કે રાજ આવું એણુ ખાતા જવું.
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy