SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્ણ થતી નથી. હિંસા પિતાની જાતે ન કરવી એટલી પ્રતિજ્ઞાથી પણ અહિંસાવૃત પળાતું હોય તો પછી કસાઈઓ પણ એ વ્રત પાળી શકે, કારણકે જાનવરના માંસને વેપાર કરનારાઓ જાનવરને કાપવાનું કામ તે જાતે કરતા નથી પણ ગલકટ્ટાઓ પાસે એવું કામ પિસા આપીને કરાવે છે, અને એ રીતે કરવામાં આવતી હિંસા પણ પિોતીકી હિંસાની બરાબર જ છે; તેથી ગ્રંથકાર સ્પષ્ટીકરણ કરે છે કે જેમ જીવોની હિંસા પોતે કરવી નહિ તેમ બીજા પાસે કરાવવી નહિ, અને સ્થાવર–એકેંદ્રિય જીવોને નિષ્ણાજન મારવા-મરાવવા નહિ. જ્યાં સુધી મનુષ્યને દેહનું બંધન રહેલું છે, ત્યાંસુધી વીવો વસ્ત્ર જીવનમ્ એ ન્યાયે તેને સ્થાવર જીવોની હિંસા કરવી પડે છે, પરંતુ તેમાં જે વિવેક રાખવામાં આવે તો તેથી મનુષ્ય અનેક પ્રકારની સૂક્ષ્મ હિંસાથી પણ બચી શકે છે. કોઈ રાજા ચોરી કરીને નહેલા ચારની પાછળ પાછળ તેને પકડવાને પોતાનાં માણસો સાથે ઘોડા પર બેસીને જતા હોય અને માર્ગમાં કોઈ નવાંકુર ફૂટેલાં ધાન્યનાં ખેતરો આ ખેતરની બે બાજુએ થઈને રસ્તે જતો હોય તે રસ્તે રહે નહિ જતાં તે પોતાની ટુકડીને ખેતરમાં દાખલ કરી તેમાંના છેડવાને ખુંદી–કચરી દોડાવી જાય, તો તે વનસ્પતિની નિપ્રયોજન હિંસ જ તેણે કરી લેખાય. તેના ઘોડા ભૂખ્યા થયા હોય અને નજીકમાં બીજે કયાંય ઘાસ ન હોય તે એ ખેતરમાંથી ઘડાને ઘાસ ખવરાવવાની તેને જરૂર પડે તો તેથી થતી એકેન્દ્રિય જીવોની હિંસા નિપ્રયોજન કહેવાય નહિ, પલ્લુ ઘેડાને ચલાવવા માટે બાજુનો રસ્તો સહેજ લાંબે હોય અને ખેતરમથી જતાં સહેજ ટૂંકો રસ્તો મળતો હોય, તો તેટલા ખાતર સૂક્ષ્મ હિંસા કરવા માટે તે પાપી ઠરે છે. તે શંકા–હિંસા કરવી નહિ અને કરાવવી નહિ, એટલે કે જીવને તેના દશ પ્રાણથી હીન કરે કરાવે નહિ, એટલામાં જ જે અહિંસાના વતની પૂર્તિ થતી હોય તો શું મન કે વચન વડે હિંસા અહિંસા વ્રતવાળા કરી શકે ? સમાધાન–ના. મન, વચન અને કાયા એ ત્રણે વડે જીવની હિંસા કરવી--કરાવવી નહિ એવું અહિંસા વ્રત પાળવાનું વાનપ્રસ્થાશ્રમીને સૂચને
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy