SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૧ વામાં આવ્યાં છે. જીવન અને સયમ માટેનાં તે ઓછામાં ઓછાં સાધના છે. સાધુ, મુનિ કે સન્યાસી પાસે વસ્રો-ઉપકરણાની એવી વિપુલતા ન હાવી જોઇએ કે જેથી તેમને દેહસુખની લાલસા ઉત્પન્ન થાય; માત્ર દેહને નિભાવવા અને સંયમને સાધવા માટે જોતાંજ એછાંમાં એછાં સાધને હાવાં જોઇએ; અને એવાં સાધના સાથે જ દીક્ષાના જિજ્ઞાસુએ ગુરૂ પાસે ઉપસ્થિત થઇ દીક્ષા ગ્રહણ કરવી જોઇએ. પુનઃ પાત્રા પણ એવાં જોઇએ કે જે મૂલ્યવાન ન હોય. ધાતુનાં પાત્રા મૂલ્યવાન હાય છે એટલે જૈન તેમ જ જૈનતર ધર્મીમાં ત્યાગી—સન્યાસીને માટે ધાતુપાત્ર ગ્રહણ કરવાની મનાઈ કરવામાં આવી છે, અને તે ઉચિત જ છે. જ્યાં જ્યાં ધાતુપાત્રની મનાઈ નથી કરવામાં આવી, ત્યાં ત્યાં સાના-રૂપાનાં પાત્રા અને સાધને આજે પેસી ગએલાં જોવામાં આવે છે, તે જોતાં કાષ્ટનાં કે તુંબડાનાં પાત્રાનું ફરમાન શાસ્ત્રકારાએ યથાચિત જ કરેલું છે એમ કહેવું પડે છે. વેદાનુયાયી ધર્મગ્રંથામાં સન્યાસીએને માટે કહેલું છે કે— अतैजसानि पात्राणि तस्य स्युर्निर्व्रणानि च ॥ * * * अलाबुं दारुपात्रं च मृन्मयं वैदलं तथा । पतानि यतिपात्राणि मनुः स्वायम्भुवोऽब्रवीत् ॥ અર્થાત્–સંન્યાસીનું ભિક્ષાપાત્ર કાઇ ધાતુનું કે છિદ્રયુક્ત નહિ હેવુ જોઇએ. સ્વાયંભૂ મનુએ કહ્યું છે કે સન્યાસીને તુંબડું, કાષ્ટ, માટી કે વાંસનુ પાત્ર જ રાખવાચેાગ્ય છે. ઉપરના શ્લાકમાં મુનિએ ધારણ કરવા ઘટતાં વસ્ત્રોમાં સૂત્ર અને ઊનનાં વસ્ત્રોનું જ વિધાન કરેલું છે. દેશાદિભેદ તથા ઋતુભેદને કારણે સૂત્રને બદલે ઊનનાં વસ્ત્રો ધારણ કરવાં પડે તે સમજી શકાય તેવું છે, પરંતુ રેશમ જેવી અપવિત્ર વસ્તુનાં બનેલાં વસ્ત્રો એક મુનિ કે સન્યાસી ધારણ ન કરે, તેટલા માટ સૌત્ર શબ્દના અને વૈષમ્ મમ્ એ શબ્દપ્રયાગના ઉપયાગ કરવામાં આવ્યે છે. આચારાંગ સૂત્રમાં મંëિ શબ્દ વડે લાળથી ઉત્પન્ન થએલાં વસ્ત્રો—રેશમી વસ્ત્રોને ગ્રહણીય કહ્યાં છે, પરન્તુ ચીન દેશનાં મૂલ્યવાન અને
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy