SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ વિવેચન—પૂર્વે જેવા ધશિક્ષણની હિમાયત કરી છે, તેવા ધર્મ શિક્ષણ માટેનાં ઉપકરણા કેવાં હાવાં જોઇએ અને જે તે ઉપલબ્ધ ન હોય તા તે તૈયાર કરવાં જોઇએ એવું સૂચન આ શ્ર્લાકમાં કરવામાં આવ્યું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય ઉપર સારી અસર થાય તેવું ધાર્મિક સાહિત્ય હોવું જોઇએ અને તેટલા માટે નીતિવિષયક કથાઓ, મહાપુરૂષોનાં ચરિત્રા, ધર્મના સિદ્ધાંતા અને તત્ત્વા ઇત્યાદિનો મેષ વિદ્યાર્થીવર્ગને થાય તેવી ધાર્મિક શિક્ષણની પુસ્તકમાળા હાવી જોઇએ. જે આવાં પુસ્તકે અસ્તિત્વ ધરાવતાં ન હેાય, તેા તેવાં પુસ્તકે સેવાધર્મી પંડિતાએ અને લેખકેાએ તૈયાર કરી ઉછરતી પ્રજા ઉપર ઉપકાર કરવા જોઇએ. વિદ્યાર્થી અવસ્થામાં જે ધર્મ અને નીતિના સિદ્ધાન્તાની છાપ પાડી શકાય છે તે મેાટી ઉમરનાં મનુષ્યા ઉપર પાડી શકાતી નથી અને તેટલા માટે જ જેના વાચન વડે બાળકાને રસ સાથે બેધ મળે તેવાં ધર્માંનીતિશિક્ષણનાં પુસ્તકાની સમાજને જરૂર છે. પરન્તુ એટલું ભૂલવું જોઇતું નથી કે ધર્મ અને નીતિનું શિક્ષણ ખીજા વ્યાવહારિક શિક્ષણની સાથે સાથે જવું જોઇએ, અને એક શિક્ષણ એકસરખાં ઉપયાગી તથા ક્રૂરયાત હોવાં જોઇએ. ધાર્મિક શિક્ષણને મરજીયાત રાખવામાં આવે કિંવા તેવું શિક્ષણ ઘેર આપવાની યેાજના કરવામાં આવે અથવા પ્રસંગેાપાત તેવું શિક્ષણ વિદ્યાર્થીએ ને મળે એવી ગાઠવણ કરવામાં આવે, તથી ધાર્મિક શિક્ષણનો હેતુ પાર પડતો નથી. વ્યા વહારિક કેળવણીના અભ્યાસક્રમની સાથે જ અને તેના જેટલે જ ફરજીઆત ધાર્મિક શિક્ષણનો અભ્યાસક્રમ રાખવામાં આવે તો જ તેથી ધારેલા હેતુ પાર પડે; નહિતો જે કાંઇ મરજીયાત કે પ્રસગેાપાત રાખવામાં આવે છે તેનો લાભ તો ભાગ્યે જ લેવાય છે; તેટલા માટે ધાર્મિક શિક્ષણની ક્રમબદ્ પુસ્તકમાળા રચી, તેનો નિયમિત અને ફરજીયાત અભ્યાસ કરાવવામાં આવવે જોઈ એ. શ્રી કાલેલકર આ બાબતના સંબંધમાં કહે છેઃ “ શિક્ષણશાસ્ત્રના નિયમ પ્રમાણે પ્રથમ વાર્તા, પછી વર્ણન, તે પછી ઇતિહાસ, તે પછી તત્ત્વજ્ઞાન, તત્ત્વજ્ઞાન પછી બીજા ધર્માં સાથે તુલના અને આખરે ધર્મસ ંશાધનઃ આવા ક્રમ રાખવા જોઇએ. ધાર્મિક શિક્ષણમાં ફતેહ મેળવવાની ખરી ચાવી એ છે કે વિદ્યાર્થીની અંદર પ્રેમાલતા, વિનય અને આદરભાવ જાગૃત થાયઃ ધાર્મિક
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy