SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ ફળ છે કે કેમ? એ દષ્ટિથી પ્રત્યેક વિચારની કસોટી કરવી જોઈએ. તેટલું જ મહત્ત્વનો પ્રશ્ન મનુષ્યને એ થાય છે કે અમુક મારો ધર્મ છે તો તે ધર્મના અનુયાયીઓને જે કાંઈ કરવાનું તે મેં કેટલું કર્યું છે? કોઈ માણસનું ધાર્મિક જીવન તેનાં કાર્યોમાં સ્પષ્ટ રીતે માલૂમ પડી ન આવે તો તે જીવન ચૈતન્યમય અગર ખરૂં જીવન હોઈ શકે નહિ. માત્ર બુદ્ધિમાન લોકોની એક જાતિ ઉત્પન્ન કરવી એ જ કેળવણનો હેતુ હોવો જોઈએ નહિ. સમાજના અંગભૂત તરીકે લોકોમાં કર્તવ્યબુદ્ધિ, જવાબદારીની લાગણી ઉત્પન્ન થાય એ પણ તેનો હેતુ છે. આ રીતે ધાર્મિક શિક્ષણનું તત્ત્વ સમજીને એવા શિક્ષણનો પ્રબંધ કરવામાં આવે તો જ તે ઈષ્ટફળદાયક નીવડે. દૃષ્ટાંત–એક વેદવિદ્યા પારંગત બ્રાહ્મણ હતો. તેણે બાર વર્ષ સુધી કાશીમાં રહી અભ્યાસ કર્યો હતો. વેદધર્મી પંડિતોને તે માટી મેટી સભાઓમાં વિવાદ કરી હરાવતો. આત્મા અને શરીરની ફીલસુફી વિષે વિવાદ કરવામાં તે એક લેખાતો હતો અને તેને મોટી મોટી પાઠશાળાઓ તરફથી ઉપાધિઓ પ્રાપ્ત થઈ હતી. એ બ્રાહ્મણ ચારે દિશાએ ધર્મશાસ્ત્રીઓમાં દિગ્વિજય કરીને પિતાને ગામ આવ્યો. ગામના રાજાએ જાણ્યું કે એ વિદ્વાન બ્રાહ્મણ વિદ્યાઓ ભણીને આવ્યો છે તો તે ધર્મ કે જાણે છે તેની પરીક્ષા કરવી. તેણે ગામના ચારે દરવાનને અમુક સૂચનાઓ આપી રાખી. બ્રાહ્મણ દરવાજે આવ્યો એટલે દરવાને તેને રોક્યો અને પૂછયું કે તમે બીજા દરવાનોની પરવાનગીપત્ર બતાવશે તો જઈ શકશે. બ્રાહ્મણ પાસે પરવાનગીપત્ર નહેતું. દરવાને કહ્યું કે તો પછી અહીંનું પરવાનગીપત્ર તમને ત્યારે જ મળશે કે જ્યારે તમે મદ્યપાન કરવાની હા કહેશે. બ્રાહ્મણે વિચાર્યું કે કાનનીગન્મમમિત્ર સ્વરિ જરીયરી એવું વિદ્વાનોએ કહ્યું છે આ તો જન્મભૂમિનું નગર છે એટલે સાક્ષાત સ્વર્ગ છે. સ્વર્ગના દરવાજામાં દાખલ થવા માટે મદ્યપાન કરવું પડે તોપણ ફીકર નથી. શાસ્ત્રમાં પણ પધાર્થે સુરત તિ એમ તે કહ્યું છે. એમ વિચારી ત્યાં મદ્યપાન સ્વીકારી પરવાનગીપત્ર મેળવ્યું. એ જ રીતે બીજે દરવાજે માંસભક્ષણ કરવાની માગણું થઈ. માસમક્ષને ઢોષો ન મ ર ર મૈથુને એવું શાસ્ત્રવચનનું સ્મરણ થતાં બ્રાહ્મણે માંસ
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy