SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર (9) પૂર્ણતા યા પરોપાશેઃ સા ચાથતવમાનમ્ या तु स्वाभाविकी सैव जात्यरत्नविभानिभा ।। અર્થ : ધન, શિષ્ય, સંપત્તિ, ભક્તો વગેરે પરવસ્તુઓ દ્વારા જીવ પોતાને પૂર્ણ માને છે પણ એ પૂર્ણતા તો કોઈકની પાસેથી ઉછીના માંગીને લાવેલા ઘરેણા જેવી છે. જેમ એ ઘરેણા પાછા આપવા જ પડે એમ કર્મો પાસેથી ઉછીની મળેલી આ પૂર્ણતા પણ ઝાઝી ટકવાની નથી. જ્યારે આત્મા પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્ર વડે જે સ્વાભાવિક પૂર્ણતા પામે છે એ ઉત્તમરત્નની' કાંતિ જેવી છે. જેમ એ કાંતિ ઉત્તમ રત્નથી છૂટી ન પડે એમ જીવની આ પૂર્ણતા કદી નાશ ન પામે. (૨) સપૂર્વક પૂર્ણાતામતિ પૂર્યાસ્ત રીતે ? पूर्णानन्दस्वभावोऽयं जगददभुतदायकः ।। અર્થ : બાહ્ય વસ્તુઓથી અપૂર્ણ એવો મુનિ જ પૂર્ણતાને પામે છે. બાહ્ય વસ્તુઓથી ભરાતો, પુષ્ટ બનતો આત્મા તો અધ્યાત્મજગતમાં વધુ ને વધુ ભિખારી જ બનતો જાય છે. ખરેખર પૂર્ણાનન્દનો આ સ્વભાવ આખા વિશ્વને આશ્ચર્ય પમાડે એવો છે. () परस्वत्वकृतोन्माथा भूनाथा न्यूनतेक्षिणः । स्वस्वत्वसुखपूर्णस्य न्यूनता न हरेरपि ।। અર્થ : સ્ત્રી, ધન, રાજ્ય વગેરે પારકી વસ્તુઓને પોતાની માની લઈ ઉન્માદી બનતા ચક્રવર્તીઓને તો પખંડનું સામ્રાજ્ય પણ ઓછું જ દેખાય. જ્યારે પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રને જ પોતાનું ધન માની એ આત્મિક સુખથી પૂર્ણ બનેલો સાધુ તો દેવેન્દ્ર કરતાં ય પોતાની જાતને ઊંચી જ માને છે. એને ક્યાંય ન્યૂનતા, દીનતા આવતી નથી. यस्य ज्ञानसुधासिन्धौ परब्रह्मणि मग्नता । विषयान्तरसंचारस्तस्य हालाहलोपमः ।। અર્થ : પરબ્રહ્મ-પરમાત્મા તો જ્ઞાનામૃતના સાગર છે. એવા પરમાત્મામાં જે આત્મા મગ્ન થઈ જાય છે એ તો વિષયસુખો ભોગવવા એ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર) ૧૧
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy