SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ માંસ જે રીતે ખાય એ રીતે સાધુએ સંયમપાલન ખાતર આહાર વાપરવો. (२५) गुणवदमूर्छितमनसा तद्विपरीतमपि चाप्रदुष्टेन । दारूपमधृतिना भवति कल्प्यमास्वाधमास्वाधम् ।। અર્થ : સારી, ગુણકારી, સ્વાદિષ્ટ વસ્તુ મળે તો એમાં મૂછ ન કરવી. અને અણગમતી-અણભાવતી વસ્તુ મળે તો એમાં દ્વેષ પણ ન કરવો. જેમ લાકડાને કાપો કે રંગો, લાકડું કોઈ રાગ-દ્વેષ ન કરે એમ સાધુએ પણ રાગ-દ્વેષ વિના જ કલ્પનીય વસ્તુઓ વાપરવી. (२६) ग्रन्थः कर्माष्टविधं मिथ्यात्वाविरतिदुष्टयोगाश्च । तज्जयहेतोरशठं संयतते यः स निर्ग्रन्थः ।। અર્થ: આઠ પ્રકારના કર્મો, મિથ્યાત્વ, અવિરતિ, દુષ્ટ મન, વચન, કાયાના યોગો એ ગાંઠ કહેવાય. આ બધા ઉપર વિજય મેળવવા માટે જે કપટરહિત બની સમ્યફ પ્રયત્ન કરે તે આત્મા નિર્ચન્થ કહેવાય. (२७) यज्ज्ञानशीलतपसामुपग्रहं निग्रहं च दोषाणाम् । कल्पयति निश्चये यत्तत्कल्प्यमकल्प्यमवशेषम ।। અર્થ : આહાર, વસ્ત્રાદિ જે કોઈપણ વસ્તુ આત્માના જ્ઞાન, શીલ, તપને ઉપકારી બને, દોષોનો નિગ્રહ કરનારી બને એ બધી જ વસ્તુ કલ્પનીય છે. (ભયંકર માંદગીમાં આસક્તિ વિના આધાકર્મી દવાઓ) પણ જ્ઞાનાદિ ઉપર ઉપકાર કે દોષોનો નિગ્રહ ન કરનારી બધી જ વસ્તુ અકથ્ય છે. (આસક્તિ પોષવા લીધેલો નિર્દોષ કેરીનો રસ.) (२८) तच्चिन्त्यं तद्भाष्यं तत्कार्यं भवति सर्वथा यतिना । नात्मपरोभयबाधकमिह यत्परतश्च सर्वाद्धम् ।। અર્થ : ઓ મુનિવર ! તું હંમેશા એ જ વિચારજે, એ જ વાણી બોલજે, એ જ કાર્યો કરજે કે જે તારા આત્માને, બીજાઓને કે બે ય ને અહિતકારી ન બને. આ લોકમાં કે પરલોકમાં સર્વ કાળ માટે કોઈના ય અહિતનું કારણ ન બને. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પ્રશમરતિ)
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy