SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પકડીને જેઓ પોતાની જાતને “પંડિત માને છે તેમને વાણીના મુખને ચુંબન કરવાનું સુખ ભલે મળે, પણ વાણીના સંગની લીલાનું રહસ્ય તો તેઓ કદી પણ પામી ન શકે. (८०) व्रतानि चीर्णानि तपोऽपि तप्तं, कृता प्रयत्नेन च पिण्डशुद्धिः । अभूत्फलं यत्तु न निह्नवानामसद्ग्रहस्यैव हि सोऽपराधः ।।८।। અર્થ : નિહુનવોએ મહાવ્રતો આદર્યા, ઘોર તપ પણ તપ્યા, ખૂબ પ્રયત્નપૂર્વક પિણ્ડશુદ્ધિ પણ કરી, છતાં તેના મીઠાં ફળ તેમને ન મળ્યા તેમાં તેમના કદાગ્રહનો જ વાંક છે. (८१) गुरुप्रसादीक्रियमाणमर्थं गृह्णाति नासद्ग्रहवाँस्ततः किं । द्राक्षा हि साक्षादुपनीयमानाः क्रमेलकः कण्टकभुङ्न भुङ्कते ।।१०।। અર્થ : ગુરૂકૃપાથી પ્રાપ્ત થતા અર્થોને કદાગ્રહી માણસ સ્વીકારતો નથી. પણ તેથી શું થઈ ગયું? ઊંટની સામે દ્રાક્ષની આખી લુમ ધરવામાં આવે પણ કાંટા જ ખાવાને ટેવાયેલા ઊંટ દ્રાક્ષને અડે ય નહિ તેમાં દ્રાક્ષનો દોષ થોડો જ કહેવાય ? (૮૨) કચ્છત્યિારસંતિં યે પુર્વત્તિ તેષાં ન તિર્થશેષ ! विष्टासु पुष्टाः किल वायसा नो मिष्टान्ननिष्ठाः प्रसभं भवन्ति ।। ११।। અર્થ : કદાગ્રહને લીધે જેઓ હલકા માણસોની સોબત કરે છે તેમને જ્ઞાની પુરુષો ઉપર પ્રેમ થતો નથી. વિષ્ઠામાં જ પુષ્ટ થતા કાગડા બળાત્કારે પણ મિષ્ટાન્નની પ્રીતિવાળા થતા નથી. (८३) आमे घटे वारि धृतं यथा सद्विनाशयेत् स्वं च घटं च सद्यः। असद्ग्रहग्रस्तमतेस्तथैव श्रुतात्प्रदत्तादुभयोर्विनाशः ।। १४ ।। અર્થ : કદાગ્રહથી ગ્રસ્ત બનેલી મતિવાળાને શ્રુતજ્ઞાન આપવામાં આવે તો તે શ્રુતનો નાશ થાય, એટલું જ નહિ પણ તેનો દુરુપયોગ કરવા દ્વારા તે કદાગ્રહી જીવનો ય નાશ થાય છે. સંસારમાં અનંતવાર મર્યા કરે છે.) એક તો ઘડો કાચો હોય અને પછી તેમાં પાણી ભર્યું હોય તો શું થાય? જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) ૨૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy