SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ -~-~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~ લલકારતા કે “મન સાધ્યું, તેણે સઘળું સાધ્યું. એની પાછળ આ ગણિત કામ કરે જ છે. આપણી જાતને જ પૂછીએ કે - આપણું સવારનું પ્રતિક્રમણ કેટલી વારમાં ? ૧૫-૨૦ મિનિટમાં જ ? કે ૪૦-૫૦ મિનિટ લાગે ? > એ ઉભા ઉભા, સત્તરસંડાસા પૂર્વક ? કે બેઠા – બેઠા અથવા પુંજવાદિ ક્રિયા વિના જ? > સૂત્રોચ્ચાર સ્પષ્ટ ખરા ? કે પછી મનમાં જ બોલતા હોવાથી ઘણા શબ્દો ખવાઈ જાય ? અશુદ્ધિ રહે ? – ધારો કે ૨૦ મિનિટ પ્રતિક્રમણ કરતા થાય, તો એમાંથી કેટલી મિનિટ સૂત્રાર્થમાં ઉપયોગ ? કુલ પાંચેક મિનિટ પણ ખરો ? કે એટલો પણ નહિ ? – સવારે ઉઠવામાં વિલંબ થયો હોય અથવા તો વિહાર હોય અને મોડા ઉઠ્યા હોઈએ તો પ્રતિક્રમણાદિ ક્રિયામાં પણ આપણે ઉતાવળ કરવા માંડીએ ખરા ? કે એકદમ શાંતિથી જ ક્રિયા કરીએ ? > કોઈક સંયમીઓ આ રીતે શાંતિથી પ્રતિક્રમણ કરતા હોય, તો એમને જોઈને આનંદ થાય? અનુમોદના કરીએ ? પ્રશંસા કરીએ? કે એમને વેદીયા, જીદી, ક્રિયાજડ.. વગેરે વિશેષણોથી મશ્કરીપાત્ર બનાવીએ ? જો શુભક્રિયાઓમાં આપણને રુચિ ન હોય તો આપણે ચરમાવર્તી પણ હશું કે કેમ? એ એક મોટો પ્રશ્ન જ રહે છે ને ? આપણું સમ્યકત્વ નિર્મળ ખરું કે ? “સાહેબજી ! મારા પૌત્રના ગજબનાક સંસ્કારો જોઈ મને ખૂબ જ આનંદ અને આશ્ચર્ય થાય છે. માત્ર પોણાચાર વર્ષની ઉંમર ! છતાં એની સમજણ ભલભલાને અચંબો પમાડી દે તેવી !” મુંબઈ નવજીવન જૈનસંઘના ઉપાશ્રયમાં એક દાદાએ વંદન કર્યા બાદ મુનિરાજ આગળ ભારે ઉલ્લાસ સાથે ઉપર મુજબ રજુઆત કરી. કેમ? એવો કોઈ પ્રસંગ બન્યો? શું સંસ્કારો દેખાયા તમને તમારા પૌત્રમાં?” મુનિરાજે સામે પ્રશ્ન કર્યો. સાહેબજી! બન્યું એવું કે અમારો આખો પરિવાર થોડાક દિવસો પહેલા એક શહેરમાં કોઈક પ્રસંગમાં હાજરી આપવા ગયેલો. ત્યાંથી અમે નજીકમાં આવેલા એક તીર્થને જોવા માટે ગયા. એ સ્થાન અમને બધાને ગમ્યું. એ સ્થાનમાં ફરતા ફરતા અમે જ્યાં એક મુનિ બિરાજમાન હતા, તે હોલમાં ગયા...
SR No.022596
Book TitleVishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2016
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy