SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭. કોઈ નિયતિવાદી ધર્મઆરાધના કરવાનું કહે છે. અથવા તે અધર્મમાં જાય છે અને તે યોગ્ય કહે અથવા ન પણ કહે. આમ તે સઘળું યોગ્ય કહેતો નથી. ૪૮. આમ કોઈ તર્ક વિતર્ક કરી બીજાની ઉપાસના કરતો નથી. પોતાના જ તર્ક વિતર્કને સારા માની તે દુર્મતિથી વર્તે છે. ૪૯. આમ તે પોતાના જ તર્ક વિતર્ક વડે કહે છે, તે ધર્મ અધર્મ વગેરે જાણતો નથી. તેથી તેનું દુઃખ તૂટે નહિ જેમ પાંજરામાં પૂરેલી ચકલી સહે તેમ તે સહે છે. ૫૦. પોતપોતાનું કહેલું સારું કહી બીજા ધર્મોની નિંદા કરે છે. ત્યાં જે ઉત્કર્ષ પામે છે તે સંસારમાં પણ વધારે ફસાય છે. ૫૧. આ પ્રમાણે ક્રિયાવાદી દર્શન કર્યું છે. જ્યાં કર્મની ચિંતા નષ્ટ થાય છે, ત્યારે સંસાર સર્વ રીતે વધે છે. પર. જ્યાં સુધી કાયાથી ઊઠે નહિ અને અજ્ઞાની તેની હિંસા કરે છે. પૂછે તો જુદો જ જવાબ દે છે, જે યુક્ત નથી અને વર્યુ છે. પ૩. જ્યારે તે પાવન થાય છે ત્યારે તેનો આત્મા શાંત થાય છે. જે સારું કરવા જાય છે તેને મનપૂર્વક સંમતિ આપે છે. ૫૪. જ્યારે તે પાવન કૃત્યો કરે છે ત્યારે ભાવશુદ્ધિ કરી નિર્વાણ તરફ જાય છે. ૫૫. પુત્ર પણ સાધુના આહાર અર્થે સમારંભોમાં ખૂન કરે છે. તે જે સાધુ ખાય તેને કર્મનો લેપ થતો નથી. ૫૬. જે મનપૂર્વક તેથી જોડાય છે તેને બુદ્ધિ નથી હોતી. અસત્ય તેને વર્ય નથી તેથી તે સુવતી નથી.
SR No.022567
Book TitleSutrakritang Skandh 01
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages180
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy